Abtak Media Google News

નરેન્દ્ર મોદી રવિવારે ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. અત્યારસુધી ભાજપનું કાર્યાલય 11, અશોક રોડ પર હતું. જ્યારે નવું સરનામું 6-એ, દિનદયાળ માર્ગ હશે. ઉદ્ધાટન પ્રસંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ અને મુરલી મનોહર જોશી જેવાં અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહેશે.

પાર્ટી ઓફિસ શિફ્ટ કરનારી ભાજપ પહેલી પાર્ટી

– ભાજપ પહેલી રાજકીય પાર્ટી છે જે લુટિયંસ ઝોનની બહાર પોતાની ઓફિસ શિફ્ટ કરી રહી છે.
– સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજકીય પાર્ટીઓએ પોતાના કાર્યાલયને લુટિયંસ ઝોનથી બહાર કરવી જોઈએ. ભાજપ દ્વારા પોતાના કાર્યાલયને શિફ્ટ કરવાથી અન્ય પાર્ટીઓ પર પણ આવું કરવાનું દબાણ વધી શકે છે.
– કોંગ્રેસનું મુખ્ય કાર્યાલય અકબર રોડ પર છે. અશોકા રોડ અને અકબર રોડ બંને જગ્યાએ સરકારી નિવાસસ્થાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.