Abtak Media Google News

દેશમાં કોરોનાવાઈરસથી સંક્રમણના અત્યાર સુધી 13 કેસની પુષ્ટી થઈ ચુકી છે. સતર્કતાના ભાગ રૂપે મંગળવારે નોઈડાની બે શાળા બંધ કરી દેવાઈ હતી. આ સાથે જ દિલ્હી-NCRની પાંચ શાળાઓને બંધ કરી દેવાઈ છે. દિલ્હી સરકાર 3.5 લાખ L 95 માસ્કની વ્યવસ્થા કરી રહી છે.

આગરામાં 6, તેલંગાણા અને દિલ્હીમાં 1-1, જયપુરમાં ઈટલીના 2 નાગરિક અને કેરળના ત્રણ લોકોમાં સંક્રમણની પુષ્ટી કરવામાં આવી છે.પીએમ મોદીએ ટ્વીટ કરીને કોરોનાવાઈરસને ફેલાતો અટકાવવા માટે સમારોહ કરવાનું ટાળવાનું સૂચન આપ્યું હતું સાથે જ પોતે પણ આ વખતના હોળી મિલન કાર્યક્રમમાં ભાગ નહીં લેવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.