હાલ વધતા જતા ગ્લોબલ વોર્મીંગના પ્રમાણને ઘટાડી પર્યાવરણની જાળવણી કરવી જરૂરી બન્યું છે. ત્યારે ૪ ઓગસ્ટના દિવસે ગુજરાતભરના પોલીસ સ્ટેશનો ખાતે વૃક્ષારોપણ કરાયું છે. જે અંતર્ગત રંગીલા રાજકોટને હરીયાળુ બનાવવા પોલીસ હેડ કવાર્ટર ખાતે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવાયો હતો. જેમાં રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ડીસીપી તેમજ એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો લોકોને સંદેશો પાઠવ્યો હતો. આ તકે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજકોટમાં ૧૩૦૦ છોડનું વાવેતર કરાયું છે અને વૃક્ષોનું જતન કરી પર્યાવરણ સુરક્ષા એ તમામ નાગરિકોની ફરજ છે.
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’