Abtak Media Google News

હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે તેને શુધ્ધ કરવું આપણી નૈતિક જવાબદારી છે. માટે જો આપણે જીવન જીવવાની પદ્વતિમાં મોટા ફરક પડે છે. અને આયુષ્ય વધે છે, એક સર્વે પ્રમાણે વિકસિત દેશોમાં વધી રહેલા પ્રદૂષણને કારણે ન્યુમોનિયા, ફેફ્સાના કેન્સર જેવી બિમારીઓ નાનાથી લઇને મોટાને પણ થતી હોય.

તેના માટે થોડો ખર્ચો કરી ઘરમાં જ ઇન્ડોર પ્લાન્ટ લગાવવાના છે. આમ તો આપણે ઘણાં ઘરોમાં મનીપ્લાન્ટ, પામ પ્લાન્ટ જોયા છે. આ છોડ માત્ર શોભાના નથી આવા છોડો માત્ર શોભા મોજ નહીં પરંતુ એરેકા પામ જેને ગોલ્ડન કન પામ કે બમ્બુ પાચ કહેવાય છે.

આ ઉપરાંત મની પ્લાન્ટથી પણ હવાનું શુધ્ધિકરણ થાય છે તે હવામાંથી ફોર્માલ્ડીહાઇડ તેમજ અન્ય રસાયણોનુ દૂર કરીને હવાને શુધ્ધ કરે છે. દિલ્હીમાં પ્રદુષણનું પ્રમાણ સૌથી વધુ પ્રદૂષિત રાજ્યોમાનું એક છે. એક પ્રયોગ દરમિયાન એક મનીપ્લાન્ટના છોડને એમ રુમમાં મુકવામાં આવ્યો.

પ્રયોગના પરિણામો જ્યારે આવ્યા ત્યારે જાણવામાં આવ્યું કે મની પ્લાન્ટ લગાવેલ રુમના લોકોને આંખોની બળતરા, માથાનો દુ:ખાવા અને ફેફ્સાના રોગો તેમજ માથાનો દુખાવાનું પ્રમાણ ઓછુ રહ્યુ હતું. જો કે તે એક આશ્ર્ચર્યજનક બાબત છે કે નાનકડા છોડની તાકાત કેવળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.