Abtak Media Google News

આસામની જતિંગા વેલીમાં સપ્ટેમ્બર મહિનાની દર નવીરાત્રીએ પક્ષીઓ મરી જાય છે:પુનાના શનીવારવાડાના કિલ્લામાં સૂર્યાસ્ત પછી કોઇ જતું નથી : સિમલા, કાલકા રોડ પર સ્થિત ટનલ નં. ૧૦૩ વિશે પણ ઘણી ખતકનાક વાતો થાય છે

આપણે ઘણાનાં મોઢે વિવિધ જગ્યાની ચિત્ર-વિચિત્ર વાતો સાંભળતા હોય છે. અમુક અવાવરૂ  કે ખંઢેર જેવી જગ્યાએ કોઇ જતુ હોતું નથી જાય તો કદી પાછો ના આવે તેવી પણ વાયકા હોય છે. ઘણા મકાનોમાં ભૂત-પ્રેતની વાતો થતી હોય છે. વિજ્ઞાન યુગમાં આવુ કશુ: જ હોતું નથી એવું સાબિત પણ થયું છે. છતાં માનવી અંધ શ્રઘ્ધામાં માનતો હોય છે. ભણેલ કે અભણ સૌ આવી વિચિત્ર વાતોમાં માનવા લાગે છે. આપણાં તહેવારોમાં પણ ‘કાળી ચૌદસ’ નો દિવસ છે જેના વિશે લોકો વિવિધ વાતો કરતાં હોય છે. આત્મા ભટકતી હોય તેવા હોરર હિન્દી- અંગ્રેજી ફિલ્મ પણ આવી ગયા છે. દુનિયામાં માનનારા અને ન માનનારા એમ બન્ને વર્ગનાં લોકો છે. આપણાં દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જેના વિશે લોકો તરહ તરહની વાતો કરતાં હોય છે.

મે તમે કે આપણે સૌએ એવી ઘણી વાતો લોકો મુખેથી સાંભળી હશે. કેટલાકને તો અનુભવ પણ થયા હશે. આજે આપણે આવી જ કેટલીક જગ્યા વિશે માહિતી મેળવી શું આ જગ્યાનું નામ સાંભળતા લોકો થર થર કાંપે છે. તેની આસપાસ રહેતા લોકોને તો મજબુરીથી નીકળવું પણ પડે છે વાત સાંભળીને લોકો કાંપવા લાગે છે.

દિલ્હીમાં અગ્રસેનની બાવલી નામની જગ્યા છે આ જગ્યાનું પૌરાણિક મહત્વ છે. એવું પણ કહેવાય છે કે જયારે તેમાં કાળા પાણી ભરાય જાય છે ત્યારે તે લોકોને મરી જવા મોહિત કે આકર્ષિત કરે છે. આજે પણ આ જગ્યાએ સૂર્યાસ્ત પછી લોકો આવતા નથી.

01

સિમલા કાલકા રોડ પર આવેલ ટનલ-૧૦૩ વિશે લોકો માને છે કે અહિં ઘણી આત્માઓ રહે છે. આ જગ્યાએ અંધારૂ  હોવાથી તમને કોઇ વાત કરતું સાંભળાય છે. કેટલાક લોકોએ તો ઘણી વાર અહીં એક મહિલા ચાલતી પણ જોઇ છે. આ જગ્યા વિશે ઘણી ચિત્ર-વિચિત્ર વાતો છે.

પશ્ર્ચિમ બંગાળમાં અહાલ્યા ઘોસ્ટલાઇટસ વિશેની વાતમાં માછીમારો જુદી જુદી વાતો કરે છે. ઘણી બધી વાર્તાઓ પણ અહિંના લોકો કરે છે. અહીં એવી પણ વાયકા છે કે સૂર્યાસ્ત પછી ના જવું, જો કોઇ જાય તો તેમનું મૃત્યુ થઇ જાય છે.

રાજસ્થાનના કુલઘરાના સ્થાન વિશે ઇ.સ. ૧૮૦૦ લોકોના ખબર પડી, અહીં કોઇ રહેતું નથી. લોકો બધા ચાલ્યા ગયા છે. ભૂલથી અહીં કોઇ વ્યકિત રોકાય તો તે ગુમ થઇ જાય છે ઘણા વર્ષો પહેલા એક રાજાના મંત્રી આ ગામની કોઇ છોકરી સાથે લગ્ન કરવા માંગતા હતા. ગામ લોકોએ વિરોધ કર્યો અપમાનીત મંત્રીએ ગામ ઉપર વેરો ડબલ કરતા ગામની તમામ પ્રજાએ આ જગ્યા છોડી દીધી ફરી કયારેય તે પરત જ ન આવ્યા.

તાજ મહેલ પેલેસ મુંબઇ વિશે ઘણાને ખબર જનથી કે જેને તાજ હોટલ બજાવી તેજ આર્કિટેકટ તેણે આ પેલેસ બનાવ્યો હતો. તે જે પ્રમાણે ડિઝાઇન બનાવવામાં માંગતો હતો તે પ્રમાણે ન શકતા તે મૃત્યુ પામ્યો હતો. અહીં આવનાર ઘણીવાર કોઇની છાયા જુએ છે.

ગોવા ખાતેનું ચર્ચ ઓફ થ્રી કિંગની આસપાસ રહેતા લોકો માને છે કે સર્ચમાં ભૂતનો વાસ છે. આ ચર્ચમાં કેટલાક પોર્ટુગીઝ રાજાની હત્યા કરાય હતી. તેમજ અહીં બે રાજાએ આત્મહત્યા પણ કરી હતી. ત્યારની આ લોક વાયકા ચાલી છે.

03

સુરતનો ડુમસ કાંઠો એક ડરામણું સ્થળ મનાય છે. ઘણા સમય પહેલા એક શબને અહીં દફન કરતાં તે હજી ભટકે છે. એવી વાતો લોકો કરે છે. જયારે તમારી આજુબાજુ કોઇ ન હોય ત્યારે આજે પણ તમને અવાજો સાંભળવા મળે છે.

મહારાષ્ટ્રનો સૌથી મોટો કિલ્લો શનિવારવાડ કિલ્લો પુના ખાતે આવેલો છે. જેની દિવાલો રહસ્યમય વાર્તાઓથી ભરેલી છે. અહીં એક યુવાન રાજકુમારને તેના પરિવારે દિવાલોની અંદર ચણીને મારી નાખ્યો હતો. ત્યારથી આજ સુધી તેનો આત્મા ભટકે છે. દરેક પુનમે તે મૃત્યુનો બદલો લેવા આવે છે. એવા ડરથી સૂર્યાસ્ત પછી કોઇ કિલ્લા પાસે જતું નથી.

કોલકતાના રાષ્ટ્રીય પુસ્તકાલયમાં અનેક પ્રકારની રહસ્યમય ઘટનાઓ બને છે. થોડા વર્ષો પહેલા એક વિઘાર્થી  આ પુસ્તકાલયમાં ગયો જે હજી પાછો નથી આવ્યો, સવારે જયારે પુસ્તકાલય ખોલે તો ઘણા કાગળ અને સામગ્રી વેરવિખેર આજે પણ જોવા મળે છે.

મેરઠના જી.પી. બ્લોક વિસ્તારમાં એક બે માળની ઇમારત છે, જેમાં ઘણી આત્માઓ રહે છે. બિલ્ડીંગમાં ઘણીવાર રાત્રે દારૂ પીતા હોય એવા દ્રશ્યો જોવા મળે છે. ઘણીવાર લાલ ડ્રેસવાળી છોકરી પણ ઘરની બહાર ઉભેલી જોવા મળે છે.

જો તમને લાગે કે ભૂત ખંઢેર જેવી જગ્યાએ જ હોય પણ એવું નથી. રામોજી ફિલ્મ સીટી પણ ભૂતનો વાસ હોવાનું લોક વાયકા છે. અહિંના સ્થાનીક લોકોનું માનવું છે કે આ જગ્યા નિઝામ સુલતાન શહેર જગ્યા પર બનાવેલ છે જે જગ્યાએ સજાની વિવિધ પ્રવૃતિઓ થતી ઘણીવાર અહીં પડછાયા, આંગળીના નિશાનો અને પોતાની મેળે દરવાજા ખુલીને બંધ થયા હોવાનો ઘણાએ અનુભવ કર્યો છે.

આસામની જતીંગા ખીણમાં ઘણા બધા પક્ષીઓ રહે છે. ખુબ જ સુંદર મનમોહક જગ્યા છે. અહીં એક રહસ્યમય વાત જોવા એ મળે છે કે સપ્ટેમ્બર મહિનામાં દરરોજ રાત્રે હજારો પક્ષીઓ મૃત્યુ પામે છે. અહિં પક્ષીઓ સ્થળાંતર કરીને આવે છે પણ કયારેય પાછા ફરી શકતા નથી આ પાછળનું શું કારણ છે તે કોઇ જાણતું નથી.

રાજસ્થ્ાનના ભાનગઢ કિલ્લા વિશે પણ ઘણી વાતો લોકો કરી રહ્યા છે. ભૂતકાળમાં એક તાંત્રિકે આ મહેલ પર કાળો જાદુ કર્યો હતો, ત્યારથી આ ભૂતિયો કિલ્લો બની ગયો છે. લોકો સૂર્યાસ્ત પછી પ્રવેશ કરતાં જ નથી. આ કિલ્લાના મકાનોમાં છત નથી જો છત બાંધવામાં આવે તો તે આપમેળે તૂટી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.