Abtak Media Google News

ઘાટકોપર સ્થાનકવાસી જૈન સંઘ હિંગવાલા લેનના આંગણે પૂ. ગૂરૂદેવ ધીરજમૂનિ મ.સા.ની નિશ્રામાં અહિંસાના અવતાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ કલ્યાણક નિમિતે ત્રિ-દિવસીય તા.૨૫ થી ૨૭સુધી ઉત્તરાધ્યયન સૂત્ર મંહાવીરની અંતિમ દેશના પ્રવચન શ્રેણી અને તા.૨૫ને ધનતેરસના જયજિનેન્દ્ર ડોમની તકતી અનાવરણ વિધિ સંથારા આરાધક જયવંતભાઈ જગન્નાથ જસાણી પરિવાર અને સ્વાતંત્ર્ય સેનાની, પૂર્વ પ્રમુખ મણીલાલ સુંદરજી દોશી પરિવાર તથા મહાવીર જ્ઞાનાલયમ્ની શોભનાબેન વસંતરાય લાખાણી અને કાયમી ઉનાળુ આમ્રફલ વિતરણ યોજનાની ધનલક્ષ્મી મહેન્દ્રભાઈ મહેતા તથા આર્કિટેકટ ભાવિક શાહ વગેરેના હસ્તે કરવામાં આવશે.જયારે તા.૨૮ને સોમવારે સવારે ૭ કલાકે ભકતામર અને ૭.૩૧ કલાકે નૂતન વર્ષ મહામાંગલીક કાર્યક્રમ યોજાશે. જયારે ૧૨ નવે.ના ચાતુર્માસ પરિવર્તન કાર્યક્રમ વિધાવિહાર ખાતે મનીષા મનીષ માવીસીનાં પરિવારના ગૃહાંગણે મોટાસંઘ, ગારોડીયાનગર, રાજાવાડી, પંતનગર અને કામાગલી સંઘનો યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.