Abtak Media Google News

રૂ ૯૪૦૦ કરોડના ખર્ચ સાથે ઇ-વાહનોની પ્રોત્સાહન આપવાની સરકારની તૈયારી.

પેટ્રોલ-ડીઝલનો ભાવ આસમાને ચડી રહ્યો છે તો પ્રદુષણથી લોકોના મૃત્યુ થઇ રહ્યા છે માટે હવે રૂ ૯૪૦૦ કરોડના પેકેજ સાથે સરકાર ઇલેકટ્રોનીક વાહનો માટે સબસીડીનો ઘોઘ વહાવવાની તૈયારી કરી રહ્યું છે.

દોઢ લાખથી વધુની કિંમત ધરાવતી ટુ-વ્હીલર ખરીદનારને સરકાર રૂ ૩૦ હજારના ઇન્સેન્ટીવ આપશે.

આ ઉપરાંત કેબ બસ અને ઇલેકટીક કારથી લઇને ટેકસી સુધી રૂ ૧.૫ થી ૨.૫ લાખ અને રૂ ૧૫ લાખ સુધીના ઇન્સેન્ટીવ્સ અપાશે.

આ રીતે જ ઇલેકટ્રોનીક કારને સ્કેપમાં દેવાથી પણ તેનું પ્રમાણપત્ર મળશે તેમજ આવનાર પાંચ વર્ષોમાં પેસેન્જર વાહનો અને ટુ-વ્હીલરો માટે સરકાર રૂ ૧૫૦૦ કરોડ ખર્ચવાની તૈયારીમાં છે.

ડીચેઅ આઇ વિભાગે જણાવ્યું હતું કે ઇલેકટ્રીક વાહનો આવવાથી મેટ્રો શહેરોમાં હાઇવેની બન્ને બાજુએ દર રપ કી.મી. એ દિલ્હી, જયપુર, દિલ્હી, ચંદીગઢ, ચેન્નઇ, બેગ્લોર અને મુંબઇ પુને રોડ પર ચાર્જીગ સ્ટેશનો લગાવામાં આવશે. સરકારના આ પગલાથી ઓટોમોબાઇ ક્ષેત્રે મોટા પરિવર્ચનો આવશે.

Untitled 1 14(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.