Abtak Media Google News

મતદાર યાદી સુધારણાની કામગીરીને કારણે ૧૬ એપ્રિલથી ૫મી મે સુધી કામગીરી બંધ

રાજય ચૂંટણીપંચ દ્વારા આગામી તા.૩૦મીના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી કરવાની હોય રાજકોટ જિલ્લામાં મતદાર સહાયતા કેન્દ્રો પરી તા.૧૬ એપ્રીલ થી ૫ મે સુધી મતદારોને પીવીસી મતદાર ઓળખપત્ર આપવાની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. જેથી લોકોએ મતદાર સહાયતા કેન્દ્રો સુધી ધકકો ન ખાવા અપીલ કરાઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદીની આખરી પ્રસિધ્ધીની કામગીરીને લઈ સમગ્ર રાજયમાં તા.૧૬ એપ્રીલથી મે સુધી લોકોને પીવીસી મતદાર ઓળખપત્ર આપવાની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

જેને પગલે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના તમામ મતદારોને પીવીસી મતદાર ઓળખપત્ર મેળવવા માટે તા.૧૬/૪ થી ૫/૫ દરમિયાન સહાયતા કેન્દ્રોનો ધકકો ન ખાવા અપીલ કરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.