Abtak Media Google News

યુવા વર્ગને સમાજ તરફ વાળવા માટે મન ભાવન મેનુ અને ડી.જે.રાસ-ગરબાનું આયોજન

દશા સોરઠીયા વણિક જ્ઞાતિ સમાજ (મહાજન) દ્વારા આગામી ૨૧મી ઓકટોબરને રવિવારના રોજ સામુદ્રી માતાજીના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ માતાજીના પાટોત્સવમાં મુખ્ય મનોરથી તરીકે સ્વ.વસંતલાલ પોપટલાલ માલવીયા પરીવારના મનોજભાઈ જયંતભાઈ શાહ અને વિશાલભાઈ મનોજભાઈ શાહ છે. આ આયોજનને સફળ બનાવવા માટે રાજકોટ દશા સોરઠીયા વણિક જ્ઞાતિ સમાજ (મહાજન) દ્વારા કમિટિની રચના કરવામાં આવી છે અને તેના ચેરમેન તરીકે મહાજનના સિનિયર સભ્ય અતુલભાઈ કોઠારીની નિમણુક કરવામાં આવી છે. માતાજીના પાટોત્સવના પાસનું વિતરણ તા.૧૩મી ઓકટોબરને શનિવારથી માલવિયા વાડી ખાતે કરાશે.

અબતકની મુલાકાતે આવેલા સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આગામી તા.૨૧મી ઓકટોબરને રવિવારના સાંજે રાજકોટના ટાગોર રોડ પર વિરાણી હાઈસ્કુલમાં યોજાનાર સામુદ્રી માતાજીના પાટોત્સવમાં આ વર્ષે અનેક નવા ફેરફારો કરવામાં આવ્યા છે. રાજકોટ મહાજન દ્વારા નવી પેઢીને સમાજ તરફ વાળવા પ્રથમ વખત ડી.જે.ના તાલે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજના ભાઈઓ-બહેનો અને બાળકો ભાગ લઈ ગરબે ઘુમી શકશે. આ ઉપરાંત વર્ષોથી ચાલી આવતા માતાજીના પ્રસાદ‚પી મેનુમા પણ મોટો ફેરફાર કર્યો છે અને યુવા વર્ગની પસંદ મુજબનો માતાજીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ પ્રમોદભાઈ એચ.પારેખ અને ઉપપ્રમુખ લલીતભાઈ કે.કુરાણીના માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ ચેરમેન અતુલભાઈ કોઠારી, જીજ્ઞેશભાઈ વૈદ, જયેશભાઈ ધ્રુવ, કમલેશભાઈ શેઠ, કિશોરભાઈ વસાણી, શાંતીભાઈ ધાબળીયા, રાજુભાઈ ધ્રુવ, મહેશભાઈ જનાણી, વૃંદાવનભાઈ ગગલાણી, સુધીરભાઈ શેઠ, કેતનભાઈ કાચલીયા, જયેશભાઈ મહેતા, અશ્વીનભાઈ દોશી, જીતેન્દ્રભાઈ આણંદપરા, વિશાલભાઈ મીઠાણી, રજનીભાઈ મલકાણ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે અને આ પાટોત્સવને સફળ બનાવવા ગુજરાતના જાણીતા શિક્ષણવિદ કૃષ્ણકાંતભાઈ ધોળકિયા અને ઉધોગપતિ મનસુખભાઈ વજીર માર્ગદર્શન આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.