Abtak Media Google News

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ ધનવંતરી ક્લિનિક શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ મનપાના વિરોધ પક્ષના નેતાના જણાવ્યા અનુસાર વોર્ડ નંબર ૮ માં આવેલ ધનવંતરી ક્લિનિકમાં ચાર દિવસમાં જ તબીબની બદલી કરી દેવામાં આવી છે અને ક્લિનિક ઉપર કોઈ ન હોવાથી દર્દીઓ પરેશાની ભોગવી રહ્યા છે.

જૂનાગઢ મનપાના વિરોધ પક્ષના નેતા અદ્રે માનભાઈ પંજા તથા વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર વિજયભાઈ વોરા, સેનીલાબેન થેઈમ અને જેબુનિશાબેન કાદરીએ મનપા કમિશનરને એક સંયુક્ત પત્ર પાઠવીને જણાવ્યું છે તેમની જગ્યાએ અન્ય કોઈ ડોક્ટર ક્લિનિકલ ઉપર હાજર હોતા નથી. તાત્કાલિક ધોરણે વોર્ડ નં. ૮ ના ધનવંતરી ક્લિનિકમાં કાયમી ધોરણે તાત્કાલિક ડોક્ટર મૂકવામાં આવે તેવી પત્ર ના અંતમાં ભલામણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.