Abtak Media Google News

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેકટરને રજૂઆત, આવેદન પાઠવ્યું

પાલીતાણા અખિલ  ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા આજ રોજ મોટી સંખ્યામાં વિધાર્થીઓ મળીને કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું  હતું જેમાં એમની મુખ્ય માંગ પાલીતાણા તાલુકાના તથા આસપાસ ના ૧૦૦ થી પણ વધુ ગામોના વિદ્યાર્થીઓ ભાઈઓ ને  ધોરણ ૧૨ પછીના ઉચ્ચ અભ્યાસ માટે ભાવનગર કે બીજા અન્ય શહેરોમાં જવું પડે છે અને તેમાં વિધાર્થીઓને ખુબ હેરાનગતી પણ ઉભી થાય છે વિધાર્થીઓ ના આ ગંભીર પ્રશ્નને લઈને પાલીતાણા તાલુકામાં સરકારી બોયજ કોલેજ ને મંજુરી આપવામાં આવે અને વિધાર્થીઓને થતી હેરાનગતી અટકાવામાં આવે તેવી માંગ પાલીતાણા અખિલ  ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.