Abtak Media Google News

ભારતની અપીલને માન્ય રાખી  આઇસીજેએ ફાંસીની સજા પર રોક લગાવી હતી

પાકિસ્તાન ભારતીય નાગરિક અને નૌકાદળના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને ફાંસીના કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે)નો ચુકાદો માનવા ઈન્કાર કરી શકે છે. પાક મીડિયાના એક અહેવાલમાં આવો દાવો કરવામાં આવ્યો છે. આ કેસમાં આઈસીજે ૧૫ મેના રોજ સુનાવણી કરનાર છે.સમાચાર સંસના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની ટીવી ચેનલ ન્યૂઝ દુનિયાએ જણાવ્યું છે કે પાકિસ્તાનના એટર્ની જનરલે શુક્રવારે જાધવના કેસમાં આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં પાકિસ્તાનની રાષ્ટ્રીય સ્રિતાનો મુદ્દો સંકળાયેલો છે. પરિણામે આ કેસમાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ કોર્ટમાં ન્યાય અધિકાર ક્ષેત્રને માન્ય રાખી શકે નહીં.અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની લશ્કરી કોર્ટે જાધવને જાસૂસી અને દેશ વિરોધી પ્રવૃત્તિના આરોપમાં ફાંસીની સજા સંભળાવી છે. ભારતનું કહેવું છે કે જાધવ ઈરાની અપહરણ કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન નેવીમાંી નિવૃત્ત યા બાદ તેઓ ઈરાનમાં બિઝનેસ કરી રહ્યા હતા. પાકિસ્તાનનો દાવો છે કે જાધવની બલુચિસ્તાનમાંી ૩ માર્ચ, ૨૦૧૬ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.ઈન્ટરનેશનલ કોર્ટમાં ભારત તરફી સિનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ ૮ મેના રોજ પિટિશન દાખલ કરી હતી. ભારતની માગણી એ હતી કે ભારતની રજૂઆતના મેરિટ તપાસતા પહેલા જાધવની ફાંસી પર રોક લગવવામાં આવે. ભારતની અપીલ માન્ય રાખીને આઈસીજેએ ફાંસીની સજા સામે રોક લગાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.