પ્રથમ બે ટી-૨૦ મેચ ૨૬ અને ૨૭ ઓક્ટોબરે શેખ જાયદ સ્ટેડીયમ અબુ ધાબીમાં રમાશે. ત્યાર બાદ ટીમ લાહોર રવાના થશે. ત્યાં લાહોરના ગદાફી સ્ટેડીયમમાં ત્રીજી અને અંતિમ ટી-૨૦ રમશે. આ અગાઉ શ્રીલંકા ટીમના ઘણા ખેલાડીઓને પાકિસ્તાનમાં જઈને રમવાની ના પાડી દીધી હતી. ૨૦૦૮ માં આ ટીમ પર હુમલો થયો હતો અને ઉપુલ થરંગાને ઈજા બાદ લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનથી દુર રહેવું પડ્યું હતું પરંતુ આ વખતે ઉપુલ થરંગાએ ત્યાં જવાની ના પાડી પોતાનું નામ પાછુ ખેંચી લીધું છે. વર્લ્ડ ઈલેવન સામે સીરીઝ સફળ રહી હતી અને આ એક માત્ર મેચ પર બધાની નજર રહેલી છે.પાકિસ્તાનની ટીમ આ પ્રાકરે છે : સરફરાઝ અહેમદ (કેપ્ટન), ફખર જમાન, અહેમદ શહેજાદ, બાબર આઝમ, શોએબ મલિક, મોહમ્મદ હાફીઝ, ઈમાદ વસીમ, શાદાબ ખાન, ફહીમ અશરફ, હસન અલી, આમીર યામીન, મોહમ્મદ આમીર, રૂમેન રઈસ, ઉસ્માન શેનવારી, ઉમર આમીન.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા