શહેરના ઈન્દીરા સર્કલ ખાતે પ્રીન્સ યુવા ગ્રુપ દ્વારા ૯ વર્ષથી ગણેશ મહોત્સવ કરવામાં આવે છે. જેમાં રોજ અલગ અલગ સાંસ્કૃતીક પ્રોગ્રામ કરવામાં આવે છે. તેમજ રોજ અલગ અલગ મહાનુભાવો તેમજ ભકતો મહાઆરતીનો લાભ લઈને ધન્યતા અનુભવે છે. જેમાં ભાજપના કાશ્મીરાબેન નથવાણી આરતીમાં ઉપસ્થિત રહી આરતી તથા અન્નકુટના દર્શન કર્યા હતા. તેમજ આરતીનો લાભ લીધો હતો. તથા ગણેશ પંડાલ માનવ મેદનીથી ખીચોખીચ ભરાઈ ગયો હતો આ તકે અબતક સાથેની વાતચીતમાં પ્રીન્સ ગ્રુપના પ્રમુખ જીજ્ઞેશભાઈ એ કહ્યું હતુ કે છેલ્લા પાંચ વષૅથી મહોત્સવનું આયોજન કરીએ છીએ આજે અન્નકોટમાં ૫૬ ભોગનું આયોજન કરવામાં આવેલ છે. શ્રેષ્ઠ મૂર્તિમાં ગુજરાતમાંથી દ્વિતિય ઈનામ મળેલ છે. સ્વચ્છ, અભિયાનમાં પણ એવોર્ડ મળેલ છે. અમદાવાદ તરફથી ખાસ કરીને મહાઆરતી સત્યનારાયણ ભગવાનની કથા તથા શ્રીનાથજી ભગવાનની ઝાંખીનો પ્રોગ્રામ કરેલ છે. કાલે શ્રીનાથજી ભગવાનની ઝાંખી છે.તમામ સ્વયંસેવકોને પૂરો સપોર્ટ હોય તોજ અમે આ બધુ કરી શકીએ છીએ. ખાસ કરીને બધી જાતનો સપોર્ટ અમારા સ્વયંસેવકો કરે છે.
Trending
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભગો! એમ.કોમ-4ની પરીક્ષાના બે ટાઈમ ટેબલ
- અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ સમાજ માટે જોખમી
- ગોકુલ હોસ્પિ.માં આધુનિક AI ટેકનોલોજી સાથેના એમ.આર.આઈ. મશીનનું ભાઈશ્રીના હસ્તે ઉદ્ઘાટન
- ક્ષત્રિય સમાજ સાથે 24 કલાકમાં જ સુખદ સમાધાન: સી.આર.પાટીલ
- IPL 2024 : SRH vs MIના મેચમાં તૂટ્યા આ રેકોર્ડ્સ…
- અદાણી પરિવારે અંબુજા સિમેન્ટ્સમાં ભાગીદારી વધારી
- Godzilla x Kong બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર…….
- વાંકાનેરના દિઘલીયા ગામે માતા-પિતા અને બહેનના હાથે પ્રેમાંધ સગીરાની હત્યા