Abtak Media Google News

નવા કૃષિ કાયદા વિરૂધ્ધ છેલ્લા બે મહિનાથી અવિરત પણે ચાલુ રહેલા આંદોલને ગણતંત્ર દીન પર હિંસાત્મક સ્વરૂપ ધારણ કરતા દેશભરમાં ઘેરા પડઘા પડયા છે. આ આંદોલનમાં ‘દેશદ્રોહી’ તત્વોનો પ્રવેશ થતા ખેડુતોની ગાડી અવળે પાટે ચડાવી દીધી હોય તેવો ઘાટ સર્જાયો છે. ૨૬મીએ શાંતિપૂર્ણ રીતે કાયદા-વ્યવસ્થાના પાલન સાથે ટ્રેકટર પરેડ યોજવાના ખેડુતોના નિર્ધાર છતા રાજધાની દિલ્હીમાં હિંસા ભડકી. એટલું જ નહિ પણ દેશની આન, બાન અને શાન ગણાતા એવા રાષ્ટ્રીય સ્મારક લાલ કિલ્લા પરઆપણા ‘ત્રિરંગા’ ઉપરાંત અન્ય ઝંડો ફરકયો હોય, તેવા દેશદ્રોહી દ્રશ્યો સર્જાયા દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વને ઈજા પહોચાડનારા તત્વો બેફામ બન્યા ઈતિહાસની આ કલંકિત ઘટના માટે જવાબદાર કોણ ?? જવાબદાર શખ્સોને સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ગૃહમંત્રાલયે આદેશો જારી કર્યા છે. જેના અનુસંધાને ૩૭ જેટલા શખ્સો સામે ગુનો નોંધાયો છે તો ૨૦થી વધુની ધરપકડ કરાઈ છે.

ખેડુતોના નામે અસામાજીક તત્વોએ આંદોલનમાં પ્રવેશ કરી લેતા જાણે મૂળ મૂદો વિખેરાય ગયો હોય તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ રાજકીય ‘રોટલા’ શેકવા નેતાઓ પણ આમાંથી પાછળ રહ્યા નથી આ વચ્ચે ખેડુતોની પરિસ્થિતિ આકરી બની છે. ભાગલાવાદી તત્વોએ આંદોલનકારીઓની દિશા અને દશા બદલી નાખી છે. રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠન અને ભારતીય કિશાન યુનિયને આ આંદોલનમાંથી અલગ થઈ જવાની જાહેરાત કરી છે.
રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના નેતા વી.એમ.સિંઘે કહ્યું કે, અમારો ઉદેશ્ય કૃષિકાયદા પાછા ઠેલાય એ છે અમે આ માંગ સાથે લડત ચાલુ રાખીશું પણ ૨૬મી જાન્યુઆરીએ ગણતંત્રના દિને જે થયું એ શરમજનક અને અસ્વિકાર્ય છે. કૃષિ કાયદા પાછા ખેંચાયએ ‘મંઝીલ’ એક રહેશે પણ અમે આ પ્રકારનાં આંદોલનમાંથી છૂટ્ટા થઈ એ છીએ.

કૃષિ કાયદા વિરૂધ્ધનું આંદોલન માત્ર ખેડુત પુરતુ સિમિત ન રહ્યું હોય, તેમ આમાં અસામાજીક તત્વોએ ઘુસીજતા રાજધાની દિલ્હી હિંસામાં સપડાઈ છે. ૨૬મીએ પ્રજાસત્તાક પર્વ નિમિતે જ દેશનાં પાટનગરમાં હિંસાની આગ ફેલાતા અંધાધુંધી સર્જાઈ છે. જે પર્વ આન,બાન અને શાનનો છે, દેશનો ગૌરવવંતો પર્વ છે તેને માન અને ઉત્સાહભેર ઉજવવાની જગ્યાએ રાજધાની દિલ્હીમાં હિંસા ભળકતા ઈતિહાસની કલંકિત ઘટના બની છે. ૪૦૦થી વધુ પોલીસ જવાનો ઘાયલ થયા છે. તો સરકારી સંપત્તિને મોટુ નુકશાન પણ પહોચ્યું છે. આંદોલનકારીઓએ પણ જવાબદારો સામે કડક પગલા ભરવા માંગ કરી છે. વી.એમ.સિંઘ સહિતના ખેડુત નેતાઓનું કહેવું છે કે જે થયું એ શરમજનક છે. અમે હિંસાત્મક વિરોધ ઈચ્છતા ન હતા મારામારી દ્વારા વિરોધ પ્રદર્શન અમારૂ લક્ષ્યાંક નથી અમે માત્ર કૃષિ કાયદા સરકાર પાછા ખેંચે એ માંગ સાથે જ શાંતિપૂર્ણ વિરોધ ઈચ્છીએ છીએ. આ મત વ્યકત કરી બે સંગઠને આ પ્રકારનાં આંદોલનથી અળગા થવાની પણ જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.