Abtak Media Google News
 મીઠું…! આમ તો નામ છે મીઠું પણ સ્વાદ છે ખારો… જે આપણા ભોજનના સ્વાદ માટે મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ એ ભીજનનો સ્વાદ વધારવાની સાથે સાથે ક્યારેક  જો મીઠાનું પ્રમાણ વધી જાય તો તે જ ભોજનનો સ્વાદ બગાળે પણ છે. તે ઉપરાંત તે વધારાનું મીઠું સ્વાસ્થ્યને પણ બગાળે છે તે હકીકત છે.પરંતુ અનેક રીતે એક ચપટી મીઠાનો ઉપયોગ સ્વાસ્થ્યને લાભ પણ આપે છે.તો આવો જાણીએ એક ચપટી મીઠાના ગુણો વિષે.
બેચેની દૂર કરવા માટે…

Head Ache

જો તમારુ કામ કરવામાં મન ન લાગતું હોય અને બેચેની લગતી હોય તો તે દૂર કરવા માટે એક ચપટી મીઠું પૂરતું છે. જેના માટે તમારે નાહવા સમયે પાણીમાં એક ચપટી મીઠું નાખીને તે પાણીથી નહાઈ લેવાથી માનસિક બેચેની ઓછી થાય છે. અને મન ફ્રેશ રહે છે.

અપચાની સમસ્યા દૂર કરવા માટે…

Upset Tummy

અપચાની સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે સંચાલનો ઉપયોગ કરવો જોઈએ જે મીઠાનો જ એક પ્રકાર છે જેનો સ્વાદ ખારો હોવાની સાથે તેમાં થોડી ખટાશ પણ હોય છે. જયારે પણ અપચો, વાયુ કે પેટમાં ચૂંથાવા જેવું લાગે ત્યારે એક ચપટી સંચળ ખાવાથી રાહત થાય છે.

ચહેરાનો નિખાર વધારવા માટે…

Glowing Skin

ચહેરાને વધુ ગોરો અને સુંદર બનવાવો છે તો મીઠાના પાણીથી મોઢું ધોવું જોઈએ. તેનાથી કુદરતી રીતે ચહેરાનો નિખાર વધે છે. પરંતુ એ ખાસ ધ્યાન રાખવું કે તે પાણી આંખમાં ન જાય નહિ તો આંખમાં બળતરા થશે.

દાંતની મજબૂતી માટે…

Teeth Whitening

દાંત અને પેઢાની કોઈ પણ સમસ્યા થાય તો પહેલો ઈલાજ એ છે કે કાપતી મીઠું લયી તેમાં થોડું સરસિયાનું તેલ મિક્સ કરી તેનાથી રોજ દાંત સાફ કરો. આ મંજન રોજ નિયમિતરૂપથી કરવાથી દાંત મજબૂત બનવાની સાથે સાથે દાંતના સળાથી પણ નિજાદ મેળવી શકાય છે.

ઘરની સાફસફાઈ માટે…

Cleaning Purpose

મીઠું ભોજનનો સ્વાદ તો વધારે જ છે પણ જો તેનો સદ્ઉપયોગ થાય તો તે ઘરની શોભમાં પણ અભિવૃત્તિ કરે છે કચું મીઠું જેમાં સોડિયમ ક્લોરાઇડ જે ક્રિસ્ટલ પદાર્થના સ્વરૂપમાં હોય છે તે ડાઘ ધબ્બા દૂર કરે છે.

સ્વાસ્થ્ય માટે…

Salt

      શુદ્ધ મીઠામાં આયોડીન ઉમેરવામાં આવે છે જે શરીરની આયોડિનની જરૂરિયાત પુરી કરે છે, આયોડીન શરીર અને મગજ બન્નેના વિકાસ,વૃદ્ધિ અને સંચાલન માટે જરૂરી છે, એટલું જ નહિ આપણા શરીરની મહત્વપૂર્ણ પ્રકૃત્યાઓ માટે પણ આયોડીન અનિવાર્ય તત્વ છે. જેની પૂરતી એક ચપટી મીઠામાંથી સરળતાથી થયી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.