Abtak Media Google News

રસ્તાના હલણના પ્રશ્ને ચાલતા વિવાદમાં ખુન કા બદલા ખુનમાં પરીણમ્યો તો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર ભાડેરના પટેલ ખેડુતની રસ્તાના હલણના પ્રશ્ને હત્યાના ગુનામાં ચાર્જશીટ બાદ ગરાસીયા શખ્સની જામીન અરજી હાઈકોર્ટે મંજુર કરતો હુકમ કર્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજી તાલુકાના ભાડેર ગામે રસ્તાના હલણના પ્રશ્ને ચાલતા વિવાદમાં પટેલ જુથ દ્વારા વંથલી પંથકના સંધી પ્રૌઢની કરપીણ હત્યા નિપજાવવામાં આવેલી જે હત્યાનો બદલો લેવા સામે જુથ દ્વારા છગનભાઈ સાંગાણી નામના પટેલ પ્રૌઢની કરપીણ હત્યા નિપજાવવામાં જયપાલસિંહ રરૂભા વાઘેલા સહિત સાત શખ્સો સામે કલમ ૩૦૨ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા.

કોર્ટમાં ચાર્જશીટ રજુ થતા અને લાંબા સમયથી જેલ હવાલે રહેતા જયપાલસિંહ વાઘેલાની સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજુર કરતા હાઈકોર્ટમાં જામીન પર છુટવા અરજી કરતા જેમાં બંને પક્ષોની રજુઆતના અંતે બચાવપક્ષના એડવોકેટની દલીલ તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા ધ્યાને લઈ ન્યાયમૂર્તિએ જયપાલસિંહ વાઘેલાના જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે. આ જામીન અરજીમાં બચાવપક્ષે એડવોકેટ તરીકે વિમલભાઈ ભટ્ટ, મનીષભાઈ પાટડીયા અને રાજભા સતુભા જાડેજા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.