Abtak Media Google News

માતાના મઢથી દર્શન કરી પરમ ફરતા કાલાવડના શિશાંગના ગરાસીયા પરિવારના એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક

રાજકોટ મોરબી ધોરી માર્ગ પર આવેલા કાગદડી ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાલાવાડના શીશાંગના યુવાનનું માતા-પિતાની નજર સામે જ મોત નિપજતા અરેરાટી મચી ગઇ હતી. અકસ્માતમાં ઘવાયેલા નવ જેટલા વ્યકિતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ ગુનો  નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ નજીક આવેલા કાગદડી ગામ પાસે બે બંધ બોલેરો સાથે સામેથી આવતી કાર અથડાતા કારમાં બેઠેલા મુળ કાલાવાડના શિશાંગ ગામના વતની અને હાલ અમદાવાદમાં રહેતા દશરથસિંહ રવુભા જાડેજા, તેમના પત્ની નાનાબા દશરથસિંહ જાડેજા,પુત્ર જયદીપસિંહ દશરથસિંહ જાડેજા, વિનુબા જીતેન્દ્રસિંહ ઝાલા, કૃપાલીબા જીતેન્દ્રસિંહ ઝાલા અને ભુમિબા જીતેન્દ્રસિંહ ઝાલા સહીત બંધ કારમાં બેઠેલા મુન્નાભાઇ લધુભાઇ મુંધવા અને કરશન હેમુભાઇ મુંધવાને ઇજા થતાં સારવાર અહીંની સીવીલ હોસ્પિટલમાં દાખલ  કરવામાં આવ્યા હતા.

જયાં ગંભીર રીતે ઘવાયેલા જયદિપસિંહ જાડેજાને તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો.પોલીસની પ્રાથમીક પુછતાછમાં ગરાસીયા પરિવાર માતાના મઢેથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે ટંકારાના મિતાણાનાયુવાનો બોલેરો કાર ઉભી રાખી ફેસ થઇ રહ્યા ત્યારે ગરાસીયા પરિવારની કારે બંધ બોલેરોને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો મૃતક અપરિણીત અને બે બહેનો અને માતા-પિતાનો એકનો એક આધાર સ્થભ પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.