સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની સિઝનની શરૂઆતથી જ ભુકંપના આંચકા યથાવત છે ત્યારે ગઈકાલથી આજ સવાર સુધીમાં કચ્છના રાપરમાં, પોરબંદર અને તાલાલામાં ભુકંપનો એક-એક આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ રાત્રે ૧૧:૫૦ વાગ્યે કચ્છના રાપરથી ૧૨ કિલોમીટર દુર ૧.૮ની તિવ્રતાનો ભુકંપનો આંચકો સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો ત્યારબાદ રાત્રે ૮:૪૯ કલાકે પોરબંદરથી ૩૨ કિલોમીટર દુર ૨.૩ની તિવ્રતાનો ભુકંપનો આંચકો નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો અને મોડીરાત્રે ૧:૧૧ વાગ્યે તાલાલાથી ૧૧ કિલોમીટર દુર ૧ની તિવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો. ભુકંપના આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી અને વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ પણ આ ભુકંપના આંચકાઓથી લોકોએ ગભરાવવાની જરૂર નથી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક