Abtak Media Google News

ફિલ્મ ‘ધડક’ની બોલીવુડમાં ડેબ્યુ કરનારી યંગ સેન્સેશન જહાન્વી કપુર લોકોના દિલ પર છવાઇ રહી છે. ત્યારે સુરોની કોકીલા લતા મંગેશકરે જહાન્વી માટે ગીત ગાવાની ઇચ્છા વ્યકત કરી છ. લતાદીએ કહ્યું હતું કે શ્રીદેવીના અવસાન બાદ જહાન્વીની પહેલી ફિલ્મ બોની કપુરની મુસ્કાનનું એકમાત્ર કારણ બની છે.

જહાન્વી ખુબ જ સુંદર છે મને તેના માટે ગાવુ ખુબ જ ગમશે ર૧ વર્ષીય અભિનેત્રી જહાન્વી માટે આ એક સૌભાગ્યની વાત છે બોલીવુડ માટે લતાજીએ હજારો ગીત ગાયા છે. તેઓ અલગ અલગ ૩૬ ભાષામાં કંઠ પણ આપી ચુકયા છે.

શ્રીદેવી માટે કભી મે કહું, નૈનોમે સપના, આ મેરી જાન જેવા ગીતો ગાયા છે. મંગેશકર અને કપુર ખાનદાન સંબંધોમાં ખુબ જ નજીક છે. લતા મંગેશકર જણાવે છે કે તેણે સુનીતા સાથે અનીલ કપુરની સગાઇમાં પણ હાજરી આપી હતી. ૮૮ વર્ષીય ગાયકે જણાવ્યું હતું કે તે સોનલ કપુરના લગ્નમાં તેઓ હાજરી આપી શકયા ન હતા. સોનમ તેના લગ્ન બાદ પણ કારકીર્દીમાં સારુ પ્રદર્શન કરી રહી છે.

હું પોતે ૧ર વર્ષની ઉમરથી કામ કરી રહી છું જહાન્વીના ડેબ્યુટ ફિલ્મની સફળતાને લઇ હું ખુબ જ ખુશ છું. અનીલ કપુરની આગામી ફિલ્મ ફેની ખાનમાં રાજકુમાર રાવ અને ઐશ્વર્યા રાય બચ્ચન રહેશે. અનીલ કપુરની આ ફિલ્મ ગાયક લતા મંગેશકરને ટ્રીબ્યુટ રહેશે. ફિલ્મ એક પિતા-પુત્રીની કહાની પર આધારીત છે જેમાં પુત્રી પ્રખ્યાત ગાયક બનવા માંગતી હોય અને તેની સફર વિશે આખી ફિલ્મ બનાવવામાં આવી છે. અનીલ કપુરે ટવીટ કરી લખ્યું હતું કે લતાજી આપ કી આવાઝ હમારી પ્રેરણા હૈ ઉમ્મીદ હૈ કી આપકો ફેનીખાન પસંદ આપે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.