Abtak Media Google News

ભુદેવ સેવા સમિતિ દ્વારા રાજકોટના યાજ્ઞિક રોડ પર સ્થાપેલ દુંદાળા દેવના દર્શન માટે ચોથા અને પાંચમા દિવસે પણ લોકોએ ભાવસભર દર્શન કર્યા હતા. તેજસભાઈ ત્રિવેદીના જણાવ્યા અનુસાર, “રાજકોટ કા મહારાજા” પંડાલમાં દરરોજ અગણિત ભક્તો દર્શનનનો લાભ લઈને ધન્યતા અનુભવે છે. દરરોજ સવારથી સાંજ સુધી અનેકવિધ કાર્યક્રમોની વણઝાર વચ્ચે ગણપતિ બાપાના ભક્તોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ કરીને દાંડિયા રાસ જેવા રાત્રી કાર્યક્રમો લોકોમાં ઉત્સાહ વધારી દે છે. ચોથા દિવસે મહાઆરતીમાં લોકોની અભૂતપૂર્વ ઉપસ્થિતિ રહી હતી. ગજાનનની 108 દીવડાની મહાઆરતીનો અનેક ભક્તોએ લાભ લીધો હતો. પાંચમા દિવસે દાંડિયારાસમાં પણ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ધર્મોત્સવમાં અનેક સંસ્થાઓ અને મહાનુભાવોએ સહયોગ આપ્યો હતો. આજ રોજ ભગવાન જગનાથ સમિતિ ના શ્રી મંગેશભાઈ દેસાઈ ,શ્રી ચમન ભાઈ શીંધવ અને હોદેદારો દર્શનનો લ્હાવો લીધો. રાજકોટ શહેર યુવા ભાજપ મહામંત્રી શ્રી પૃથ્વીસિંહ વાળા, ઉપ પ્રમુખ હિતેશભાઈ મારુ, કન્વીનર જયરાજસિંહ જાડેજા તેમજ યુવા ભાજપ વૉર્ડ 1ની ટીમ ઉપસ્થિત રહી હતી.

આ ગણેશ ઉત્સવમાં આજે પિતાબંરા શોધ સંસ્થાનના પૂ. ગુરુજી શ્રી મહેન્દ્ર ભાઇ રાવલ ના સાનિધ્યમાંઇ પિતાંબરા પરિવારના સભ્યો દ્વારા ગુંદાળા દેવની આરતી કરવામાં આવી સાથે માં પિતાંબરામાતાજીના અષ્ટોતર સતનામના પાઠ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત પીતાંબરા પીઠ શોધ સંસ્થાનના અધ્યક્ષ ગુરુજી શ્રી મહેન્દ્રભાઈ રાવલ, સેક્રેટરી હીમાંશુભાઈ જોશી, પરિવારજનો હરેશભાઈ રાવલ, પંકજભાઈ જાની, ધર્મેશભાઈ ભટ્ટ, યોગેન્દ્રભાઈ લહેરુ, કપિલભાઈ ભટ્ટ, અમીબેન ત્રિવેદી, રેખાબેન રાવલ, મનીષાબેન જોશી, હંસાબેન જાની, ભાર્ગવીબેન ભટ્ટ, બ્રહ્મસમાજના મહિલા અગ્રણી લીનાબેન શુક્લ, સયુંકત કમિશનર ચિરાગભાઈ જોશી, બન્નોબેન જોશી, અરુણભાઈ શુક્લ, રોહિણીબેન શુક્લ, શિરીષભાઈ વ્યાસ, દેવાંગભાઈ માંકડ, શ્રદ્ધાબેન રાવલ, રક્ષાબેન ત્રિવેદી, પલ્લવીબેન વ્યાસ, કીર્તિબેન દવે, નેહલબેન ત્રિવેદી, ડિમ્પલબેન દવે, પૂનમબેન પંડયા, શીલાબેન યાદવ, શુભાષભાઈ યાદવ, ચિરાગભાઈ દવે, જ્યોતિન્દ્રભાઈ પંડ્યા, ભરતભાઈ દવે, લલીતાબેન યાદવ, નયનભાઈ ભટ્ટ, અનિલભાઈ ત્રિવેદી, કુશન દત રાવલ તથા મહિલા મોરચા મહામંત્રી કિરણબેન, શિક્ષણ ચેરમેન અલકાબેન, દિપાબેન, રક્ષાબેન, સીમાબેન, નિતુબેન વિગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ ધર્મોત્સવને સફળ બનાવવા માટે કન્વિનર વિશાલ આહ્યા, સહકન્વિનર જય પુરોહિત તથા શ્રી દિલિપ જાની, મયુર વોરા, ચિરાગ મહેતા, યજ્ઞેશ ભટ્ટ, નિરવ ત્રિવેદી, અશોક મહેતા, વિશાલ ઉપાધ્યાય, ભરતભાઇ ધ્રુવ, હિમાંશુ ત્રિવેદી, અર્જુન શુક્લ, ધ્રુવ કુંડલ, કૃણાલ શિલુ, અશોક ઉપાધ્યાય, ભાવિનભાઇ રાવલ, અક્ષય શિલુ, રોહિત સોની, ધર્મેશભાઇ ભટ્ટ, રાજ ત્રિવેદી, પરેશ રાવલ, હિમાંશુભાઇ લખલાણી, રૂચિક જાની, પ્રશાંત વ્યાસ, મીત ભટ્ટ, હિરેન શુક્લ, મંથન આચાર્ય, પુર્વાધ વ્યાસ, નિશાંત પુરોહિત, જિજ્ઞેશ પંડ્યા, શુભમ જાની, મનન ત્રિવેદી, પ્રેરક રાવલ, નૈતિક જોષી, કિશન જોષી, રાજન ત્રિવેદી, ચિંતન પંડિત, મેહુલ ભટ્ટ, પ્રદિપ બોરીસાગર, મીત જાની અને બાપાસિતારામ ગ્રુપ અથાક જહેમત ઉથાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.