Abtak Media Google News

રામાપીર મંદિરના લાભાર્થે આયોજન

અલ્પાબેન પટેલ, ખીમજી ભરવાડ, ભાનુભાઇ ડાંગર, જેવા કલાકારો રમઝટ બોલાવશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુકાલાતે

નવાગામ આણંદપરમાં આવેલ દેવનગર ઢોરા વિસ્તારમાં રામાપીરના મંદીરના લાભાર્થે સૈનિક સમર્થન ગ્રુપ દ્વારા તા. ૧૮/૫ શનિવારના રોજ સાંજે પ થી ૧૦ વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તથા સાંજે ૬ થી ૯ વાગ્યા સુધી મહાપ્રસાદ તેમજ સાંજે નવ વાગ્યે લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં કલાકરો ગુજરાતના સુપ્રખ્યાત અલ્પાબેન પટેલ, ખીમજીભાઇ ભરવડા, તેમજ સુવિખ્યાત સાહિત્ય કલાકાર ભાનુભાઇ ડાંગર ઉ૫સ્થિત રહી રમઝટ બોલાવશે.

લોકડારો અમદાવાદ હાઇવે સૌરાષ્ટ્ર પંપ મીલની સામે ઓડીના શો રુમની બાજુમાં લાડવાની વાળીમાં રાખેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવા સૈનિક સમર્થન ગ્રુપ ના પ્રણેતા રમેશભાઇ લુણાગરીયા, તથા અલખ ધણી રામા મંડળના સય રાજુભાઇ પરમાર, પ્રકાશભાઇ બોરીચા, લાલજીભાઇ રાવળ, અશ્ર્વીનભાઇ સોરાણી તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

તમામ ધર્મ પ્રેમી ભાઇ બહેનોને કાર્યક્રમ માણવા અનુરોધ કરાયો છે. આ માટે આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.