ભારત ના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ 15 ડિસેમ્બર શનિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની એક દિવસીય મુલાકાતે આવશેલોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પુણ્ય તિથિ 15 ડિસેમ્બરે તેમને આદરાંજલી પાઠવવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર માં વોલ ઓફ યુનિટી નજીક આયોજિત પ્રાર્થના સભા માં રાષ્ટ્રપતિ શ્રી ઉપસ્થિત રહેશે.
તેઓ 15 મી ડિસેમ્બરે સવારે 10.30 વાગ્યે કેવડિયા પહોંચશે અને વેલી ઓફ ફ્લાવર જઇ ને સરદાર સાહેની સ્મૃતિ માં વૃક્ષારોપણ કરશે શ્રી રામનાથ કોવિંદજી પ્રાર્થના સભા બાદ સરદાર સાહેબ ની વિશ્વની વિરાટતમ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના છે.
તેઓ સરદાર સાહેબ ના જીવન કવન ને પ્રસ્તુત કરતા મ્યુઝિયમ અને પ્રદર્શની નિહાળી ને 182 મિટર ઊંચી પ્રતિમા ની 132 મીટર ઊંચાઈ એ આવેલી વ્યૂઇંગ ગેલેરી પર જઇ ને સરદાર સરોવર બન્ધ સહિત કેવડિયા નો આહલાદક નજારો માણશે.
રાષ્ટ્રપતિ શ્રી દેશભરના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે રેલ્વે માર્ગે પણ આવી શકે તે હેતુ સર ગુજરાત સરકાર અને પશ્ચિમ રેલવે દ્વારા કેવડિયામાં અંદાજે 20 કરોડ ના ખર્ચેં નિર્માણ થનારા અત્યાધુનિક રેલવે સ્ટેશન નો શિલાન્યાસ પણ શનિવારે 15 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે કરશે અને જન સભા ને સંબોધન કરશે.
રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલ આ વેળા એ રાષ્ટ્રપતિશ્રી સાથે જોડાવાના છે. રાષ્ટ્રપતિશ્રી શનિવારે બપોરે 2.30 કલાકે કેવડીયાથી વડોદરા પહોંચીને વાયુ દળ ના ખાસ વિમાન મારફતે નવી દિલ્હી જવા રવાના થશે
ભારત ના રાષ્ટ્રપતિશ્રી ની સ્ટેચ્યુ ઓફ યુનિટી ની 15 ડિસેમ્બરે મુલાકાત ને અનુલક્ષી ને સુરક્ષા સલામતી ના કારણોસર શનિવારે 15 ડિસેમ્બરે સવારે 10 થી 12 વાગ્યા દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અન્ય મુલાકાતીઓ માટે બન્ધ રાખવા માં આવશે તેની પણ સૌ ને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે
Trending
- રામદેવ સામે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં પૂછ્યું કઈક આવું…
- શું અરબી સમુદ્રનું વધતું તાપમાન દુબઈની જેમ મુંબઈમાં પણ તબાહી લઈ આવશે?
- ગરમીને લઈ મતદાનની ટકાવારી જાળવવા સમયમાં 1 કલાકનો વધારો કરી મતદાન 6 વાગ્યાથી શરૂ થવાની સંભાવના
- શું સૈયદના મુફદલ સૈફુદિનને દાઉદી વ્હોરા સમાજના ધર્મ ગુરૂ તરીકે બોમ્બે હાઇકોર્ટ મહોર લગાવશે?: આજે ફેંસલો
- “દો ઔર દો પ્યાર”ની રીલીઝ બાદ પ્રતિક ગાંધી નઝર આવ્યો આ કૂલ લુકમાં
- પ્લેનમાં બાળકોને એક જ PNR પર અલગ સીટ મળશે, DGCAનો નવો આદેશ
- સુરતમાં 5,555 કિલોના આ લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યુ
- રાજસ્થાનનું તે મંદિર જ્યાં સાંજ પછી લોકો જવાનું પણ વિચારતા નથી, જાણો શું છે રહસ્ય ??