Abtak Media Google News

સમગ્ર રાજયનાં ૫૦,૦૦૦ જેટલા બુથ પર ભાજપાનો ઇતિહાસ અને ભાજપાની વિચારધારા તેમજ વિકાસયાત્રાઓની પત્રિકા વહેંચવામાં આવશે

ભાજપાના ૩૯માં સ્થાપના દિવસે એટલે કે છઠ્ઠી એપ્રિલના રોજ ભાજપા દ્વારા બુથ યાત્રા યોજાશે.

સમગ્ર રાજયના ૫૦,૦૦૦ જેટલા બુથ પર ભાજપાનો ઇતિહાસ અને ભાજપાની વિચાર તેમજ વિકાસયાત્રાની પત્રિકાઓ વહેંચવામાં આવશે.

ભાજપાના પ્રદેશ પ્રવકતા ભરતભાઇ પંડફાએ જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી છઠ્ઠી એપ્રિલના રોજ સવારે ગોધરા ખાતે તેમજ સાંજે વડોદરા ખાતે ભાજપા બુથ યાત્રામાં જોડાશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ગોધરા અને અમદાવાદ ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ખેડા ખાતે, પ્રદેશ સહસંગઠન મંત્રી ભીખુભાઇ દલસાણીયા ગાંધીનગર ખાતે, ગોરધનભાઇ ઝડફીયા જુનાગઢ ખાતે, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર સુરત ખાતે, પ્રદેશ પ્રવકતા ભરતભાઇ પંડયા રાજકોટ ખાતે તેમજ રાજયના મંત્રીઓ વિવિધ સ્થળોએ ભાજપા બુથ યાત્રામાં જોડાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.