Abtak Media Google News

ઉત્તર રેલવેના ફિરોઝપુર ડિવિઝન પર લિમિટેડ હાઈટ સબ વે ના નિર્માણ કાર્ય માટે ટ્રાફિક બ્લોક લેવાના કારણે તારીખ 26 જૂનની અમદાવાદથી ચાલવાવાળી અમદાવાદ-જમ્મુતવી એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ભટીંડા- ફિરોજપુર-જાલંધર-પઠાણકોટ ની જગ્યાએ વાયા  ભટીંડા- ધુરી – લુધિયાણા- જાલંધર થઈને ચાલશે આવતી વખતે 27 જૂનની ટ્રેન સંખ્યા 19224 જમ્મુતવી – અમદાવાદ એક્સપ્રેસ પણ આ પરિવર્તીત માર્ગ  પર ચલાવવામાં આવશે.

Wp20150808105406Pro1154383            આ જ પ્રકારે 30 જૂનની અમદાવાદથી ચાલવાવાળી 19223 અમદાવાદ – જમ્મુતવી એક્સપ્રેસ  પણ પોતાના નિર્ધારિત માર્ગ ફિરોજપુર-મખુ-જાલંધર ના બદલે ફિરોજપુર-લુધિયાના-જાલંધર થઈને ચાલશે તથા આવતી વખતે 01 જુલાઈની  જમ્મુતવી – અમદાવાદ એક્સપ્રેસ પણ આ પરિવર્તીત માર્ગ પર ચાલશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.