Abtak Media Google News

કુવાડવા રોડ પર યુવતી ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

શહેરમાં અપમૃત્યુના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં આરએમસી કવાટર્સ દોશી હોસ્પિટલ પાસે રહેતી પ્રૌઢાએ જાત જલાવી જીવન ટુંકાવ્યું હતુ જયારે કુવાડવા રોડ નજીક રહેતા યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનું પ્રકાશમાં આવ્યું છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દોશી હોસ્પિટલ પાસે આરએમસી કવાટર્સમાં રહેતી વિલાસબેન રમેશભાઈ પરમાર નામની પ્રૌઢાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જાત જલાવી હતી ગંભીર હાલતમાં પ્રૌઢ વિલાસબેનને હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક વિલાસબેન છેલ્લા ઘણા સમયથી માનસીક બિમારીથી પીડાતા હોય જેના કારણે આપઘાત કર્યાનું પોલીસની પ્રાથમિક વિગત મુજબ જાણવા મળ્યું છે.

જયારે બીજી તરફ કુવાડવા રોડ પર લાલપરી મફતીયાપરા શેરી નં.૪માં રહેતા સાગર કરસનભાઈ જાદવ નામના ૨૫ વર્ષિયયુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. મૃતક સાગર સાંજે ૪ પોતાના રૂમમાં જઈ રૂમ બંધ કરી સૂઈ ગયો હોવાનું પરિવારને લાગ્યું હતુ પરંતુ સવારે દરવાજો ખખડાવતા રૂમ ન ખોલતા મોટાભાઈ વલ્લભભાઈએ દરવાજો તોડી જોતા સાગરભાઈનો મૃતદેહ લટકતો જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. ૧૦૮માં જાણ કરતા ૧૦૮ના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.

બી. ડીવીઝન પોલીસ મથકમાં જાણ થતા સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.