Abtak Media Google News

દ્વારકાના ઓખા કોસ્ટગાર્ડે આજે ભારતીય જળ સીમામાં ઘૂસી આવેલી પાકિસ્તાની બોટને પકડી પાડી છે. જેમાં પાકિસ્તાનના 9 ખલાસીઓ સવાર હતા. બોટ સાથે તમામ ખલાસીઓને ઓખા બંદર ખાતે લાવવામાં આવ્યા છે. હાલ ભારતની વિવિધ એજન્સીઓ કસ્ટમ, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને એસઓજી પોલીસ દ્વારા તમામ ખલાસીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

9 પાકિસ્તાની ખલાસી સાથેની બોટ ભારતીય જળ સીમામાં ક્યાં હેતુથી આવી પહોંચી તે અંગે હાલ તર્ક વિતર્ક સર્જાયા છે. હાલ તો તમામની પૂછપરછ ચાલુ છે. પૂછપરછ થયા બાદ જ સાચી હકિકત બહાર આવી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.