Abtak Media Google News

સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્ર સહિતના યુવા એન્જિનિયર્સને  સ્વરોજગારીની નવી તક મળશે

મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજ્ય સરકાર દ્વારા લોકોના જાન-માલ-મિલકતને આગી સંરક્ષણ આપવા માટેના ફાયર સેફ્ટીના નિર્ણાયક અભિગમ બદલ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીનો પદાધિકારીઓએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે. કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં આમ જનતાને ઘણી વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે.  ગુજરાત સરકાર દ્વારા લોકોના જાન-માલ-મિલકતને આગી સંરક્ષણ આપવા માટે નિર્ણાયક અભિગમ એટલે કે, ફાયર સેફ્ટીના કડક અમલનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જે માટે દરેક મકાન માલિક, કબજેદારો, ફેકટરી ધારકોએ એનઓસી મેળવવાનું રહેશે અને તેને દર ૬ મહિને રિન્યુઅલ કરાવવાનું રહેશે. આ હેતુસર પ્રાઇવેટ યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા અંગે રાજ્ય સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ આ સર્વજન સુખાકારી માટેનો આ નિર્ણય સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્ર સહિતના યુવા એન્જિનિયર્સ માટે ખૂબ લાભદાયી શે અને યુવા એન્જિનિયર્સને સ્વરોજગારીની નવી તકો મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.