Abtak Media Google News

ભાવનગરમાં રૂ.૪૧.૩૬ કરોડના વિકાસ કાર્યોને ઇ-લોકાર્પણ-ખાતમુર્હૂત કરતા મુખ્યમંત્રી

ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સમાં સહભાગી થતા ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા મહિલા બાળ કલ્યાણ રાજયમંત્રી વિભાવરીબેન દવે

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસની સ્થિતિ છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.

તેમણે આ સંદર્ભમાં રાજ્ય પોલીસદળને અભિનંદન આપતાં જણાવ્યું કે, કાયદો વ્યવસની જાળવણીમાં શાંતિ-સલામતિ ડહોળનારાઓ સામે રાજ્યનું પોલીસદળ ઝિરો ટોલરન્સી કાર્યરત છે. મુખ્યમંત્રીએ ભાવનગર રેન્જ આઇ.જી.કચેરીના રૂ. ૩.૯૦ કરોડના ખર્ચે બનનારા અદ્યતન ભવન સહિત ત્રણ પોલીસ લાઇન, ડોગ કેનાલના ખાતમૂર્હત અને સનેસ પોલીસ મકના લોકાર્પણ સહિત રૂ. ૪૧.૩૬ કરોડના વિકાસ કામોની ભેટ ઇ-લોકાર્પણ-ખાતમૂહર્ત દ્વારા ભાવનગરને આપી હતી.

ગૃહ રાજ્યમંત્રી  પ્રદિપસિંહ જાડેજા, મહિલા-બાળ કલ્યાણ રાજ્યમંત્રી મતી વિભાવરીબહેન દવે આ વેળાએ ગાંધીનગરી મુખ્યમંત્રી સો વિડીયો કોન્ફરન્સમાં સહભાગી થયા હતા. મુખયમંત્રીએ ગુજરાત પોલીસ દેશભરમાં શ્રેષ્ઠતામાં અગ્રેસર છે તેની ભૂમિકા આપતાં ઉમેર્યુ કે, ગુજરાતમાં ક્રાઇમ રેઇટ ઘટયો છે અને ક્ધવીકશન રેઇટ વધ્યો છે. આપણે કાયદાઓ વધુ કડક બનાવીને અસામાજિક તત્વો, ગુંડાગર્દી કરનારાઓ સામે સખ્તાઇથી પેશ આવવા સાથે હુલ્લડ-મૂકત ગુજરાત બનાવી લોકોની સુખ-સમૃદ્ધિ શાંતિ-સલામતિી ગાંધી-સરદારનું ગુજરાત પ્રસપિત કરવું છે એમ તેમણે ઉમેર્યુ હતું.

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, પ્રજાની જાન-માલની રક્ષા કરનારા પોલીસ કર્મીઓને કપરી ફરજો પછી ઘરે આવે ત્યારે માનસિક શાંતિ મળે, તેમનું જીવન પ્રફૂલ્લિત-તનાવમુકત રહે તેવી આવાસ સગવડો આપણે સુવિધાસભર પોલીસ આવાસોના નિર્માણી આપી છે.

કોરોના સંક્રમણને કારણે વિકાસની ગતિ અટકી ની તેનો વિશેષ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે સવા અગિયાર હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિપૂજન આ કોરોના કાળ દરમ્યાન ડિઝીટલી કર્યા છે.

તેમણે કોરોના સંક્રમણ સામે જનસહયોગ, વહિવટીતંત્ર અને આરોગ્ય, પોલીસ સહિતના વિભાગોની ફરજનિષ્ઠાી ગુજરાતમાં કોરોનાનો વ્યાપ નિયંત્રણમાં રાખી શકાયો છે તેની વિસ્તૃત છણાવટ કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં પ૦ લાખ જેટલા ટેસ્ટ કર્યા છે એટલે કે રાજ્યની વસ્તીના ૮ ટકાને આવરી લીધા છે. આપણો પેશન્ટ રિકવરી રેટ ૮૭ ટકા અને મૃત્યુદર ઘટીને ૩ ટકા જેટલો યો છે. કોરોના સંક્રમણ કાળમાં ડિઝીટલી લોકાર્પણ-ખાતમૂર્હતની નવી કેડી આપણે વિકસાવીને વિકાસ કામોની ગતિ જાળવી રાખી છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. ગૃહ રાજ્યમંત્રી  પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, છેલ્લા ૩ વર્ષમાં ગુજરાત પોલીસમાં ૪૦ હજાર જેટલી નવી ભરતી વાના પરિણામે પોલીસ દળના સ્કીલ અને સાઇઝ બેય વધ્યા છે.  તેમણે આ પોલીસકર્મીઓને સગવડતા વાળા અને મોકળાશયુકત રહેઠાણ મળી રહે તે માટે મુખ્યમંત્રી  વિજયભાઇની પ્રેરણાી હવે પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના કર્મીને પણ બે રૂમ રસોડાના અદ્યતન આવાસ આપવામાં આવે છે તેની સરાહના કરી હતી.

ભાવનગર રેન્જ આઇ.જી.  અશોકકુમારે સૌનું સ્વાગત તથા જિલ્લા પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠૌરે આભાર વ્યકત કર્યો હતો.

આ અવસરે ધારાસભ્યો  ભીખાભાઇ, કેશુભાઇ નાકરાણી, જિલ્લા પંચાયત અધ્યક્ષા વકતુબેન, મેયર  મનહરભાઇ મોરી, હાઉસીંગ બોર્ડના અધ્યક્ષ  મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ જિલ્લા કલેકટર, મ્યૂનિસિપલ કમિશનર વગેરે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.