Abtak Media Google News

ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ગાંધી ચીંધ્ધા માર્ગે આંદોલન કરવાની ઘડાતી રણનિતી

જૂનાગઢ બાયપાસ પર કોયલી – ધંધુસર  સર્વિસ રોડ આપવાની માંગ સાથે આજે સવારે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા સૂત્રોરચાર કરવામાં આવ્યા હતા. જૂનાગઢ બાયપાસ પર કોયલી – ધંધુસર રોડ ઉપર સર્વિસ રોડ આપવા માટે અગાઉ લેખિત માંગ કરવામાં આવી હતી છતાં પણ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ માંગ અંગે કોઈ પ્રત્યુતર ના આપતા, આજે કોયલી – ધંધુસર જુના માર્ગ પાસે સવારના સાડા નવ વાગ્યે બેનર સાથે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ અંગે ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક અતુલ શેખડા એ જણાવ્યું હતું કે, આજના આ સૂત્રોચ્ચાર કાર્યક્રમ બાદ તંત્ર દ્વારા કોઇ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.