દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક/હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષણનો વિપરીત અસરથી રક્ષવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ, તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશો કરેલ છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે કચ્છ જિલ્લાના વિસ્તારમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવું જરૂરી જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવિણા ડી.કે. દ્વારા જિલ્લાની હદમાં દિવાળીના તહેવારો દરમ્યાન રાત્રીના ૮ થી ૧૦ દરમ્યાન જ ફટાકડા ફોડી શકાશે. હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવામાટે માત્ર ઙઊજઘ સંસ્થા દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોકસ ઉપર ઙઊજઘ ની સૂચના પ્રમાણેનું માકિંગ હોવું જરૂરી છે. હોસ્પિટલ, નર્સિગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. આ હુકમ તા.૧૧/૧૧/૨૦૨૦ થી તા.૧૯/૧૧/૨૦૨૦ સુધી અમલમાં આવશે.
Trending
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!
- સિંહ અને સિંહણ બંને માંથી કોણ વધુ ખતરનાક ?
- રાજકોટ કોર્પોરેશનમાં મેનેજરની 8 જગ્યાઓ માટે 2922 ઉમેદવારો મેદાનમાં!!
- વિદેશ મંત્રી એસ. જયશંકર પ્રબુધ્ધ નાગરિક સાથે કરશે સંવાદ
- સોનામાં તેજી હી તેજી : ભાવ 70 હજારને પાર
- નેટ કનેક્શનના નામે ત્રણ લોકો સાથે ભેજાબાજ શખ્સે હજારોની આર્થિક છેતરપિંડી આચરી
- BSNL, રેલવે, આરોગ્ય અને મીડિયા સહિત વિવિધ 12 જેટલી સેવાનો પોસ્ટલ બેલેટમાં સમાવેશ