આમ તો દુનિયામાં એવા ઘણાબધા મંદિરો છે જે પોતાની કળાકારી માટે પ્રખ્યાત છે પરંતુ આજે એક એવા મંદિર અંગે ચર્ચા કરીશું જે બીયરની બોટલોથી બનાવેલું છે. ભગવાન બુદ્ધનું આ મંદિર થાઈલેંડમાં બન્યું છે. તેનું નિર્માણ બૌદ્ધ ભિક્ષુકો દ્વારા થયેલું છે. એક અનોખા મંદિરને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. થાઈલેંડના સિસ્કેટ પ્રાંતના બૌદ્ધ ભિક્ષુકોએ 10-15 લાખ બોટલોનો ઉપયોગ કરીને ‘Wat Pa Maha Chedi Kaew’નામક આ મંદિરનું નિર્માણ કરાયું હતું. આ મંદિરની સ્થાપના વર્ષ 1984માં કરાઈ હતી. તેનો દરેક ખૂણો લીલી અને ભૂરા રંગની બોટલોથી બનાવાયો છે. આ મંદિરને જોઈને એ સાબિત થઈ જાય છે કે બેકાર પડેલી વસ્તુઓનો ઉપયોગ કરીને પણ સુંદર ઈમારત બનાવી શકાય છે. આ મંદિરના બાથરુમથી લઈને સ્મશાન સુધીને પણ બિયરની બોટલો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. બીયરની બોટલોથી બનેલું આ મંદિર થાઈલેંડનો એક વિખ્યાત પર્યટન સ્થળ બની ગયું છે.
Trending
- સાપ ઉનાળામાં જ કેમ તેના દરમાંથી બહાર આવે છે?
- સાવધાન… રાજકોટમાં ફરીવાર ગઠીયા ગેંગ સક્રિય
- રાજકોટ: ક્રિકેટ રમતી વેળાએ 13 વર્ષના સગીરનું હૃદય થંભી જતા મોત
- UPSCની પરીક્ષા અનુસંધાને રાજકોટ પોલીસ કમિશ્નરનું જાહેરનામું પ્રસિદ્ધ
- માધવપુરના મેળામાં પ્રસરી ભારતના ઉત્તર-પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિની સુવાસ
- Teslaના એલોન મસ્કે ભારત મુલાકાત મુલતવી રાખી
- લ્યો કરો વાત… ટબુડીયા માલિકને ઈન્ફોસીસના ડિવિડન્ડની આવક કરોડોમાં થઈ
- સિંગાપોર મોકલાયેલ કરી ફિશ મસાલામાં પેસ્ટીસાઈડનું પ્રમાણ નિર્ધારિત માત્રા કરતા ખૂબ જ વધુ