માંસાહારી અને શરાબનું સેવન કરતા વિદ્યાર્થીઓ ભલે અભ્યાસમાં તેજસ્વી હોય તોપણ તેમને પુણે યુનિવર્સિટીમાં ‘મહર્ષિ કીર્તનકાર શેલાર મામા’ ગોલ્ડ મેડલ નહીં મળે. યુનિવર્સિટીના પ્રશાસનના સરક્યુલર મુજબ, ગોલ્ડ મેડલ મેળવવા માટે કેટલીક શરતો છે, જેમાં શાકાહારી હોવાની શરત પણ સામેલ છે. યુનિવર્સિટીની વેબસાઇટ પર શરતોના યાદી મૂકવામાં આવી છે. જેમાં સાતમા ક્રમે શરત છે કે માત્ર શાકાહારી અને શરાબનું સેવન નહીં કરનારા વિદ્યાર્થીઓ જ ‘મહર્ષિ કીર્તનકાર શેલાર મામા’ ગોલ્ડ મેડલ માટે પાત્ર બનશે. વળી, યાદીમાં એમ પણ કહેવાયું છે કે યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરનારા વિદ્યાર્થીઓને આ મેડલ માટે પ્રાથમિકતા આપવામાં આવશે. 1949માં સ્થાપવામાં આવેલી આ યુનિવર્સિટીનું નામ વર્ષ 2014માં નામ મહારાષ્ટ્ર સરકારે સમાજ સુધારક અને શિક્ષણના ક્ષેત્રમાં અગ્રણી કાર્ય કરનારા સાવિત્રીબાઈ ફુલેના નામ પર રાખ્યું હતું.
Trending
- ટૂંક સમયમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે આ સસ્તો સ્માર્ટફોન, જે 108 મેગાપિકસેલથી હશે સજ્જ
- બ્રેઈન સર્જરીના એક મહિના પછી, સદ્ગુરુ ઇન્ડોનેશિયાની 10-દિવસીય મુલાકાત સાથે ફરી સક્રિય
- Teslaએ આ કારણથી Cybertruckને કર્યા રિકોલ
- આ શાહી વાટકી ક્યાં છે, જેમાંથી ભૂત અને જીનનો અવાજ આવે છે…!
- પોલીસની દારૂ-જુગારની બદ્દી ડામવા કરાયેલી કાર્યવાહીએ રાજકોટને બનાવ્યું ’ડ્રાય સીટી’!!
- મધ્ય પૂર્વમાં ઉકળતો ચરુ : ઈરાની સમર્થક જૂથ દ્વારા ઈરાકમાં બોમ્બ ધડાકા
- વિરાણી હાઈસ્કૂલમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ: છાત્રો થયા ‘સંકલ્પબધ્ધ’
- સાળંગપુરમાં હનુમાન જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે