Abtak Media Google News

ગઈકાલે જીટીયુના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.નેહલ શુકલની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ ગવર્નન્સમાં કુલ સાત સભ્યોની પસંદગી કરાઈ છે. જેમાં મહેસાણાના સી.એન.પટેલ રાજકોટમાંથી ડો.નેહુલ શુકલ અને કેતન મારવાડી, અમદાવાદમાંથી અમિત ઠાકેર, કેતન પટેલ, રાજુભાઈ શાહ અને ઉત્કંઠ ભંડેરી સહિત કુલ સાત સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાયનાન્સની બેઠક પૂર્વે જીટીયુના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય તરીકે નેહલ શુકલની પસંદગી તાં કુલપતિ ડો.નીતિનકુમાર પેાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેશાણી સહિત સિન્ડીકેટ સભ્યોએ નેહલ શુકલને શુભેચ્છા પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.