Abtak Media Google News

કાર્યકારી કુલપતિ નિલાંબરીબેન દવેએ કર્મચારી પરિવારને શુભેચ્છા પાઠવી.

સૌરાષ્ટ્ર યુનિ. ખાતે દિપાવલી પર્વ બાદ નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયેલ હતો. કુલપતિ નિલાંબરીબેન દવેએ નવા વિક્રમ સંવત વર્ષ દરેક કર્મચારી પરિવાર માટે ખુશીઓનો વરસાદ લાવે તેવી શુભેચ્છા પાઠવી હતી. નવા વર્ષમાં યુનિ. વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમો સાથે ભારતની શ્રેષ્ઠ યુનિ.માં સ્થાન પામે તે માટે યુનિ. પરિવારને આહવાન કરેલ હતું.

નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમમાં સિન્ડીકેટ સભ્ય ભાવિન કોઠારી, ગીરીશભાઈ ભિમાણી, હરદેવસિંહજી જાડેજા, ડો.વિજય દેશાણી, વિમલભાઈ પરમાર, ડો.વિજયભાઈ ભટાસણા સાથે રજી. ધિરેન પંડયા, રમેશ પરમાર, મનિષ ધામેચા, નયનભાઈ જોબનપુત્રા, નિલેશ સોની, અમિત પારેખ, લીનાબેન ગાંધી, જે.આર.પંડયા, કે.એન.ખેર, જે.એમ.મામતોરા, જેવી સેરશીયા, જય ટેવાણી વિરલભાઈ પરમાર સહિતના તમામ કર્મચારી પરિવાર ઉપસ્થિત રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.