Abtak Media Google News

પ્રેસિડેન્ટ ડો.મનિષ ગોસાઈ અને સેક્રેટરી તરીકે ડો.પ્રશાંત ગણાત્રાની વરણી

તાજેતરમાં કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ ડોકટર્સ એસોસીએશનનાં વર્ષ ૨૦૧૯-૨૦નાં હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખપદે ડો.મનીષ ગોસાઈ અને સેક્રેટરીપદે ડો.પ્રશાંત ગણાત્રાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ તકે એસોસીએશનનાં અગ્રણીઓએ મોમેન્ટો અને પુષ્પગુચ્છ અર્પણ કરી પ્રેસિડન્ટ અને સેક્રેટરીને સન્માનિત કર્યા હતા.

અન્ય હોદેદારોમાં ચેરમેન ડો.મનસુખ વેકરીયા, ક્ધવીનર ડો.સંજય દેસાઈ, ચીફ એડવાઈઝર ડો.અમિત હપાણી, વાઈસ ચેરમેન ડો.વિશાલ ભીમજીયાણી, વાઈસ પ્રેસિડન્ટ ડો.રિઘ્ધીશ તન્ના અને ડો.કેતન ત્રાંબડીયા, જોઈન્ટ સેક્રેટરી ડો.નિખિલ સરવૈયા અને ડો.વિક્રમ દોશી, ટ્રેઝરર ડો.વિજય ઝાલાવડીયા તથા પ્રોજેકટ ચેરમેન ડો.હિમાંશુ પરમાર અને ડો.ચેતન ભાલોડી નિયુકત કરવામાં આવ્યા હતા.

કમીટી મેમ્બર્સમાં ડો.જયંત ‚ઘાણી, ડો.પ્રણવ ઉનડકટ, ડો.નિરવ માનસેતા, ડો.નિલેશ ‚ધાણી, ડો.તેજસ ત્રિવેદી, ડો.હાર્દિક પટેલ, ડો.ચિરાગ મગદાણી, ડો.પ્રશાંત ઠાકર, ડો.દિપક પારેખ, ડો.જે.એમ.વ્યાસ, ડો.જય માકડીયા, ડો.મૃણાલ આશર, ડો.નિરવ કોટક, ડો.કેયુર ઉકાણી, ડો.રવિ કનેરીયા અને ડો.જયદિપસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જયારે એડવાઈઝરી કમીટીમાં ડો.ચેતન લાલસેતા, ડો.તેજસ કરમટા, ડો.મયંક ઠકકર, ડો.પિયુષ ઉનડકટ, ડો.પ્રિતેષ પંડયા, ડો.પ્રકાશ પરમાર અને ડો.કાર્તિક સુતરીયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તકે આઈ.એમ.એ. રાજકોટનાં પ્રમુખ ડો.ચેતન લાલસેતા તથા ફેડરેશનનાં ચેરમેન ડો.કિશોર દેવડીયા ઉપરાંત ફાઉન્ડર મેમ્બર્સ ડો.જયેશ રાજયગુરુ, ડો.ભરત વેકરીયા અને ડો.મનોજ ઠેસીયાએ ઉપસ્થિત રહી સર્વે હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.