Abtak Media Google News

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

Vlcsnap 2020 05 08 11H29M33S334

એમેઝોન ટેકનોકાસ્ટ પ્રાઇવેટ લીમીટેડ મેનેજીંગ ડાયેરકટર રાજેશભાઇ સાંજલીયાએ અબતક સાથેની ખાસ મૂલાકાતમાં જણાવ્યુ હતુ કે, ઇન્ડસ્ટ્રીમાં પ્રોમાઇસીરી જતાં કર્મચારી પાસેથી કામ કરવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી હજુ સકય નથી શરૂ થઇ શકે. તેમજ બહારથી આવતુ રોમટીરેયલ અને ટ્રાશપોટેશન કાર્યક્ષમતા માટે લોકડાઉન પહેલા સ્થીતી રાબેતા મુજબ ચાલતી હતી પરંતુ હાલ ઘણી તુટીયો માર્કેટમાં ઊભી થય છે. જે સંપૂર્ણ પણે માર્કેટને શરૂ કરવા માટે અવરોધ બન્યુ છે. સમય મર્યાદામાં કામ  કરવામાં આવી રહ્યુ. હાલ જેટલુ મટેરીયલએ સ્ટોક થઇ રહ્યુ છે તે પણ ટ્રાસ્પોટેશનના કારણે પોર્ટ સુધી પોહચતુ નથી અને મટીરીયલ પણ સ્ટોક થઇ ગયુ છે. ભારત બહાર અન્ય દેશોમાં પણ હાલ મોકલાવી શકાતા નથી. સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી શરૂ થયા બાદ ભારત પાસે નવી તક ઉભી થઇ શકે છે. નિકાસમાં વ્યાપ વધૂ થઇ શકે અને ઉત્પાદનમાં પણ વધારો થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.