Abtak Media Google News

દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીએ ગઈકાલે એઈમ્સમાં અંતિમશ્વાસ લીધા હતા. તેમના નીધનથી તા.૨૨ ઓગષ્ટ સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

પ્રોટોકોલ મુજબ ૨૨ ઓગષ્ટ સુધી દરેક રાષ્ટ્રધ્વજને અડધી કાંઠીએ ફરકાવવામાં આવશે. પૂર્વ વડાપ્રધાનના નિધનથી રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. જેને પગલે ગુજરાત સરકારે પણ આજે જાહેર રજાની સતાવાર જાહેરાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.