Abtak Media Google News

ગતિશીલ ગુજરાતના પ્રગતિશીલ, સંવેદનશીલ, જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિન સમગ્ર ગુજરાત અનેકવિધ સેવાકીય કાર્યો સો ઉજવી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કીરિયા જન્મદિન નિમીતે વિજયભાઈને શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાષ્ટ્રમાં ગૌહત્યા અટકાવવા માટે સૌી સખત કાયદાનું નિર્માણ, અછત, દુષ્કાળ સમયે મૂંગા જીવો પ્રત્યે સવિશેષ કરૂણા રાખવા, પર્યાવરણ ક્ષેત્રે પણ અતિ મહત્વની કામગીરી, ગૌશાળા-પાંજરાપોળોના પ્રશ્ર્ન વિશે સવિશેષ સંવેદના, મકર સંક્રાંતિએ કરૂણા અભિયાન શરૂ કરવા, ગુજરાતના દરેક જિલ્લામાં પશુ-પક્ષીઓની સ્ળ ઉપર નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા નિ:શુલ્ક સારવાર કરવા કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ શરૂ કરવા, સજીવ ખેતી-ગૌ આધારીત કૃષિને વિશેષ પ્રોત્સાહન આપવા સહિતના અનેક ગૌસેવા-જીવદયાના સત્કાર્યો કરનાર જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈને જન્મ દિવસની શુભેચ્છાઓ ડો. વલ્લભભાઈએ પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.