Abtak Media Google News

૫૦ પરિવારોને અતિવૃષ્ટિના પ્રકોપ બાદ બીજી વખત  માર પડ્યો

હળવદના કીડી રણકાંઠે નામર્દાના પાણી ફરી વળતા ત્યાં મીઠાના અગરિયાઓએ બનાવેલા ૧૮થી  વધુ મીઠાના પાળા ધોવાઈ ગયા હતા.જેથી ૫૦થી વધુ મીઠાના અગરિયાના પરિવારોને માઠી અસર પહોંચી હતી.જોકે અતિવૃષ્ટિ બાદ બીજી વખત નર્મદાના પાણીથી ૧૮ મીઠાના અગરનું ધોવાણ થતા આ અગરિયાઓ ભારે હતાશ થયા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના રણકાંઠે  આવેલ કિડી,માલણીયાદ,જોગડ,એજાર સહિતના વિસ્તારોમાં ૫૦થી વધુ મીઠાના અગરિયાઓ રહીને મીઠું પકવીને રોજીરોટી મેળવે છે.આ અગરિયાનોના પરિવારોએ કાળી મજૂરી કરીને હમણાં જ રણકાંઠાના વિસ્તારોમાં ૧૮ થી વધુ મીઠાના અગર બનાવ્યા હતા.આ અગરિયામાં મીઠું પકવવા માટે મીઠાના અગરના પાળા બનાવ્યા હતા.પણ આ મીઠાના અગરિયાઓની કમનસીબી એ હતી કે, મીઠાના અગરમાંથી મીઠું પાકે એ પહેલાં ધોવાઈ ગયા હતા અને મીઠાના અગર નાશ પામતા મીઠાના અંગરિયાઓને નિરાશા સિવાય કંઈ હાથ લાગ્યું નથી.બન્યું એવું હેતુ કે,ઉપરવાસમા નર્મદા કેનાલ તેમજ પેટા કેનાલો લિકેજ તેમજ બખનળીયો અને પાણીના વેડફાટને કારણે પાણી સીધુ ઓકરાઓ માથી રણમા આવતા મીઠાના અગરમાં ફરી વળ્યું હતું.નર્મદાના પાણી ફરી વળતા ૧૮ જેટલા મીઠાના પાળા તૂટી ગયા હતા અને ધોવાઈ ગયા હતા.આથી મીઠાના અગરિયાઓ આર્થિક રીતે પાયમાલ થયા હતા.અગાઉ અતિવૃષ્ટિના કારણે અહીં મીઠાના અગરને મોટાપાયે નુકશાન થયું હતું હજુ એની કળ વળે તે પહેલાં નર્મદાના પાણીએ  મીઠાના અગરીયાઓને વધુ એક આર્થિક ફટકો આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.