ધોરાજી શહેરની જનતાને પીવા માટે જામકંડોરણા ખાતે આવેલ ફોફળ ડેમમાંથી પીવાનું માટેનું પાણી પાઈપલાઈન મારફતે મળતું હતુ. ચાલુ વર્ષે ફોફળ ડેમમાંથી પાણી ખલાસ થઈ જતાં ડેડ સ્ટોકમાંથી પાણી પંપીગ કરી ઉપાડવામાં આવતુ હતુ. જે પાણી શહેરની જનતાને પુરૂ ડતું ન હતુ અને સપ્લાય એ રેગ્યુલર રહેતા લોકોમાં ફરીયાદ ઉઠી હતી જેથી ધારાસભ્ય તથા અધિકારીઓ અને નગરપાલીકાના હોદેદારોએ તાત્કાલીક નર્મદા પાઈપલાઈનમાંથી પાણી મેળવવા માટે કવાયત ચાલુ કરી તેના પરીણામ સ્વરૂપે આજથી ધોરાજીની જનતાને રેગ્યુુલર પાણી મળતું થશે. તેમ વોટર વર્કસ કમીટીના ચેરમેન અમીશભાઈ અંટાળાએ જણાવ્યું હતુ.નર્મદાનું પાણી મળે તે માટે ધારાસભ્ય નગરપાલીકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને ચીફ ઓફિસર અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ જહેમત ઉઠાવતા આ પ્રશ્ર્નનો ઉકેલ આવ્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા