Abtak Media Google News

જયાં સુધી લાઇન રીપેરીંગ નહી થાય ત્યાં સુધી પાણી વિતરણ કરાશે નહીં

ધોરાજી તાલુકાના ૨૨ ગામને નર્મદાનું પીવાનું પાણી આપવા માટે રાજકીય ખેલ સર્જાયો પાણી પુરવઠા બોર્ડ એ શનિવારે પાણી આપ્યું તેવી જાહેરાત કરી હતી અને ધોરાજીના ધારાસભ્ય રવિવારે આમરણાંત ઉપવાસ કર્યા પરંતુ બંને વિભાગના રાજકીય નાટકનો અંત નો ભાવ ધોરાજી તાલુકાના ૨૨ ગામના લોકોને ભોગવવો પડ્યો છે હજુ પણ ભાદર ૨ નું દૂષિત પાણી આ ગામના લોકો પીવે છે અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ એવું જણાવે છે જ્યાં સુધી પાઇપ લાઇન રીપેરીંગ નહીં થાય ત્યાં સુધી ભાદર ૨ નું પાણી આપવામાં આવશે તો ધારાસભ્ય ના ઉપવાસ આંદોલન ખરા અર્થમાં  નાટક રહી હોય તેઓ લોકો માં ચર્ચાઈ રહ્યું છે

ધોરાજી તાલુકાના ગામડાઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયાના ખર્ચે નર્મદાની પાઇપ લાઇન નાખી ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું આવા સમયે ધોરાજીના ધારાસભ્ય પ્રજાની વારે આવવા માટે નર્મદાનું પાણી આપો એ માગણી સાથે ડેપ્યુટી કલેક્ટર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન છેડ્યું હતું આવા સમયે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું.

બાદ ધોરાજી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ ધારાસભ્ય ઉપવાસ ઉપર ઉતરે એ પહેલા જ નર્મદાની પાઈપલાઈનનું ઉદઘાટન કરી જ નાખ્યું અને શનિવારથી જ નર્મદાના પાણીની સપ્લાય આપી દીધી હતી બાદ ધારાસભ્ય  ના ઉપવાસ આંદોલન મા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ એ લેખિતમાં ખાતરી આપી ગેમો ધોરાજી તાલુકાના ગામોને નર્મદાનું પાણી આપીશું પરંતુ છેલ્લા ચાર દિવસથી ધોરાજી તાલુકાના ૨૨ ગામોને નર્મદાનું પાણી મળતું નથી આ બાબતે ધોરાજી પાણી પુરવઠા બોર્ડના અધિકારી અંકિત ગોહિલ નો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે ધોરાજી ઉપલેટા હાઈવે ભુખી ચોકડી પાસે નર્મદાની પાઇપ લાઇન લીકેજ થઇ છે જેનું કામ જી ડબલ્યુ આઈ એલ દ્વારા કરવામાં આવી રહ્યું છે હાલમાં ધોરાજી તાલુકાના ૨૨ ગામ ને શનિવારથી પાણી બંધ થયું છે હજુ ત્રણ-ચાર દિવસ રીપેરીંગ થતાં લાગશે ત્યાં સુધી નર્મદાનું પાણી મળશે નહીં

તો ધોરાજી તાલુકાના ૨૨ ગામને પીવાના પાણીની વ્યવસ્થા કઈ રીતે કરી શકાય તે પ્રશ્ન પૂછતા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ જણાવેલ કે જ્યાં સુધી નર્મદાનું પાણી નહીં મળે ત્યાં સુધી ભાદર-૨ ડેમમાંથી પાણી આપવામાં આવશે

આમ જોતા ધોરાજી તાલુકાના ૨૨ ગામોને પીવાનું પાણી ભાદર-૨ ડેમ નો આવે છે જેની સામે ધારાસભ્ય  એ પણ લડાઈ કરી હતી પરંતુ નર્મદાના  છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારની નર્મદાનું પાણી મળતું નથી અને ભાદર-૨ ડેમ નું  દૂષિત પાણી જે ખરેખર પીવાલાયક નથી તેવું પાણી અપાઈ રહ્યું છે એવું જણાવતાં એજ નેતા ઓ પાણીના પ્રશ્ને રાજકીય લોકોએ આક્ષેપબાજી કરવાને બદલે ખરા અર્થમાં લોકોની સેવા માટે આવું જોઈએ હાલના કપરા કાળમાં પીવાના પાણીની ખૂબ જ આવશ્યકતા છે ત્યારે ધોરાજી શહેર અને તાલુકામાં રાજકીય નાટક ના થાય અને પ્રજાને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે અધિકારીઓએ અને રાજકીય આગેવાનોએ પ્રજાની વચ્ચે ની સેવા કરવી જોઈએ તો જ ખરા અર્થમાં લોકજાગૃતિના પ્રશ્નોમાં વાચા આપી ગણાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.