Abtak Media Google News

પાણી છોડયા પૂર્વે જ નર્મદા કેનાલનાં પોપડા ઉખડી જતાંખેડુતોમાં રોષ: સ્થળ મુલાકાત લેતા ધારાસભ્ય સોલંકી

સુરેન્દ્રનગર જીલ્લા મા સરકાર દ્વારા નર્મદા કેનાલો પૂરતાપ્રમાણમાં બનાવી આપવા મા આવી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ગત વર્ષે ચોમાસુસાવ નબળું છે અને દુષ્કાળ જેવી સ્થિતિ ઝાલાવાડ પંથક મા આ વર્ષે સર્જાયી છે. ત્યારેસરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ના ૭ તાલુકાઓ ને અસર ગ્રસ્ત વિસ્તારમાં આવરીલેવામાં આવ્યા છે.

ત્યારે જે લાભ અસર ગ્રસ્ત વિસ્તારમાં મળવો જોઈએ તે હજુ સુધીસુરેન્દ્રનગર જીલ્લાના તાલુકા ઓ મા મળિયો નથી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકા પણ ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના પાટડીતાલુકાના ખેડૂતોના લહેરાતા પાક ના સુકાય તે માટે સરકાર દ્વારા નર્મદા કેનાલોની  વેવાસ્થ કરવામા આવી છે ત્યારે આ કેનાલો મા હાલનર્મદા વિભાગ ની ઝાલાવાડ પંથકના અનેક તાલુકાઓ મા નર્મદા કેનાલો મા ગાબડાં ઓ હાલપડી રહ્યાં છે.

ત્યારે નર્મદા વિભાગ ની નબળી કામગીરી સામે આવી છે આ કેનાલો સુરેન્દ્રનગર જીલ્લા ના પાટડી તાલુકા ની નાના ગોરૈયા ગામની છે.

આ કેનાલની મુલાકાત ધારાસભ્ય નૌશાદ સોલંકી એ રૂબરૂ જઈ ને લીધી હતી. અને સરકાર ના પોકળ દાવાઓની પોલ કેનાલની પરિસ્થિતિ બતાવી ખોલી હતી. ઉપરાંત કેનાલમા કેટલો ભૃષ્ટાચાર  થયો છે તે પણ ઉજાગર કરીયુ હતુ. ત્યારે આ પાટડી ધારા સભ્ય નવસાદ ની સાથે ખેડૂત મિત્રો પણ જોડાયા હતા. અને પત્રકારો પણ આ ભૃષ્ટાચાર જોઈ આઘાત પામ્યા હતા. અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા….                                              

આ કેનાલ મા પાણી છોડયા પહેલા જ નર્મદા ની કેનાલો ના પોપડા ઉખડી ગયા છે અને નર્મદા વિભાગ દ્વારા કેનાલો ની કામગીરી મા મોટા પાયે ભટાચાર થયો હોવા નું પાટડી ધારા સભ્ય નવસાદ ભાઈ સોલંકી હાલ જણાવી રહ્યા છે.ત્યારે પાણી છોડીયા પહેલા જ નર્મદા કેનાલ ના પોપડા ઉખડી જતાં ખેડૂતો એ નારાજગી વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.