Abtak Media Google News

નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલે વહેલી સવારે ભગવાન સોમનાથ દાદાનાં પૂજન-અર્ચન કરી ધ્વજારોહણ કર્યું હતું.

Hon.dy Cm Nitinbhai Patel 10

નાયબ મુખ્યમંત્રીશ્રીએ પરીવાર સાથે દર્શન-પૂજન અને મહાપુજા કરી ભગવાન સોમનાથને સૈાના કલ્યાણની પ્રાર્થના કરી હતી. ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર દ્દાદશ જ્યોતિર્લીંગનાં દર્શન-પૂજન કરી નાયબ મુખ્યમંત્રીશ્રીએ ધન્યતા અનુભવી હતી.

Hon.dy Cm Nitinbhai Patel 3

સોમનાથ મંદીર ખાતે મુખ્યપુજારીશ્રી ધનંજયદાદા અને બ્રહ્મગણોએ નાયબ મુખ્યમંત્રીશ્રીને મહાપુજા અને ધ્વજાપુજન કરાવ્યું હતું. આ પ્રસંગે નાયબ કલેકટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી વિંજયસિંહ ચાવડા સાથે રહ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ વતી જનરલ મેનેજરશ્રી ચાવડાએ મોમેન્ટો અર્પણ કરી નાયબ મુખ્યમંત્રશ્રીનું સન્માન કર્યું હતું.

Hon.dy Cm Nitinbhai Patel 2

દર્શન-પૂજન બાદ પ્રચાર માધ્યમો સાથે વાતચીત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, હું દર વર્ષે શ્રાવણ માસના સોમવારે ભગવાન સોમનાથ દાદાનાં દર્શન-પૂજન માટે આવું છું તેજ રીતે આ વર્ષે દર્શન-પૂજન માટે આવ્યો છું અને આ વર્ષે ચોમાસું સારૂ થયું છે, તે આપણા સૈા અને ખાસ કરીને ખેડુતો માટે ખુબ સારૂ છે.

Hon.dy Cm Nitinbhai Patel 6Hon.dy Cm Nitinbhai Patel 8

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.