Abtak Media Google News

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૨૧/૦૨/૨૦૧૯ ના રોજ બપોરના સમય ૧૩:૦૦ કલાકે શ્રી મહંમદી લોકશાળા, ચંદ્રપુર તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી ખાતે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ્સ્થાને  ઔદ્યોગિક ભરતી મેળાનું  અને રોજગાર કચેરી ખાતે લઘુમતિ સમાજના ઉમેદવારો નામ નોંધણી કરાવી શકે તે માટેના નામ નોંધણી કેમ્પનું આયોજન  કરવામાં આવેલ છે.

જેમાં ઓદ્યોગીક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને પસંદગીની કાર્યવાહી કરશે. સદર જોબ ફેરમાં એકમોની જરૂરીયાત મુજબ ધો. ૯ પાસ/ એસ.એસ.સી./એચ.એચ.સી./સ્નાતક અને આઈ.ટી.આઈ.  ટ્રેડની લાયકાત ધરાવતા  અને  ૧૮ થી ૩૫ ની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તમામ  શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને બાયોડેટા સાથે સ્વ-ખર્ચે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવે છે.

રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવવા ઇચ્છુક લઘુમતિ સમાજના ઉમેદવારોએ એસ.એસ.સી. (ઓછુ ભણેલ હોય તો તે માર્કશીટ) /એચ.એચ.સી./સ્નાતક/આઈ.ટી.આઈ./ડીપ્લોમાં વગેરેની લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો (લાગુ પડતુ હોય તો), વિકલાંગતાનો દાખલો, (લાગુ પડતુ હોય તો), વગેરે અસલ તથા એક ઝેરોક્ષ નકલ સાથે, પાસ પોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે, જાતે ઉપસ્થિત રહેવું. તેમ રોજગાર અધિકારીશ્રી બી.ડી.જોબનપુત્રા મોરબીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.