Abtak Media Google News

આજથી નવલા નોરતાનો મંગલ પ્રારંભ થયો છે. આજે પ્રથમ નોરતે સવારથી જ માતાજીના મંદિરોમાં ભકતોની ભારે ભીડ જામી છે. માઈભકતો સવારથી જ ર્માંના ચરણોમાં શીશ ઝુકાવી ધન્ય બની રહ્યા છે. શ્રધ્ધાથી કરેલી માતાજીની પુજા અર્ચના-પ્રાર્થના સર્વ મનોકામના પૂર્ણ કરે છે.

Sdf

રાજકોટ શહેરનાં પેલેસ રોડ પર આવેલા સુપ્રસિધ્ધક ર્માં આશાપૂરાના મંદિરે આજે સવારથી ભકતોનું ઘોડાપૂર ઉમટયું છે. અને ર્માં આશાપૂરાને શ્રીફળ પ્રસાદ ચુંદડી ધરાવી રહ્યા છે. નવરાત્રીનાં નવ દિવસ અહી દર વર્ષે ગરબાનું આયોજન થાય છે. પરંતુ હાલ કોરોના મહામારીને કારણે આ વર્ષે સમગ્ર આયોજનો રદ થયા છે. નવે નવ દિવસ વહેલી સવારથી મોડીરાત અહી દર્શનાર્થીઓ આવે છે. અને મનને પ્રફૂલ્લિત બનાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.