Abtak Media Google News

દુબઈની કંપનીએ ગોલ્ડને આધાર બનાવી નવી ક્રિપ્ટોકરન્સી બજારમાં ઉતારી

ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ક્રિપ્ટોકરન્સીને ગેરકાયદે જાહેર કરવામાં આવી છે. પરિણામે ક્રિપ્ટો કરન્સીનું ભવિષ્ય ભારતમાં અનિશ્ર્ચીત છે. જયારે બીજી તરફ દુબઈએ મુસ્લિમ રોકાણકારોને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા પ્રોત્સાહન આપ્યું છે. ગત વર્ષે અસ્તિત્વમાં આવેલી વનગ્રામ નામની કંપની હવે ગોલ્ડ આધારિત ક્રિપ્ટોકરન્સી આપી રહી છે. જેનાી તે વિશ્ર્વસનીય છે તેવું સાબીત થશે તેમ માનવામાં આવે છે.

વિશ્ર્વસના અનેક દેશોમાં ક્રિપ્ટો કરન્સીના વ્યવહારો ઉપર વિશ્ર્વાસ કરવામાં આવતો નથી. જો કે, બિટકોઈનમાં જોવાયેલી તોફાની તેજીના કારણે બહોળી સંખ્યામાં રોકાણકારો તેમ રોકાણ કરવા માટે લલચાયા છે. જો કે, નિષ્ણાંતો બિટકોઈન સહિતની ક્રિપ્ટો કરન્સીને અવિશ્ર્વસનીય માને છે. આ પ્રકારની કરન્સી પાછળ કોઈ મુળભૂત આધાર રહેતો નથી. પરંતુ વર્ષોી સોનાના ખરીદ વેંચાણ માટે નામના ધરાવનાર દુબઈ હવે સોના આધારિત ક્રિપ્ટો કરન્સીને બજારમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે.શરીયાના નિયમો મુજબ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું મુસ્લિમ માટે નાપાક હોવાનું માનવામાં આવે છે. જો કે, સોનાને આધાર બનાવી કંપની મુસ્લિમો ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી શકે તે માટે તખતો ઘડી રહ્યાં છે. ભારતીય ર્અતંત્રમાં ક્રિપ્ટો કરન્સીનું જોખમ વધુ હોય. હાલના ધોરણે તો બીટકોઈન સહિતની કરન્સીમાં રોકાણ કરવું અશ્યક બનાવી દેવામાં આવ્યું છે. જો કે, છાનેખુણે આ પ્રકારના વ્યવહારો થતાં હોય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.