વિશ્વભરના મુસ્લિમ સુમદાયના સૌથી મહત્ત્વના પવિત્ર રમઝાન મહિનાનું સમાપન થતા મુસ્લિમ સમુદાયે અલ્લાહનો શુક્ર અદા કરવા ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર દિવસે જામનગર શહેર, જિલ્લામાંના તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુસ્લિમ સમુદાય દ્વારા સરકારના આદેશ અનુસાર મસ્જિદમાં ચાર વ્યક્તિ અને ઘરે-ઘરે ઈદની ખાસ નમાઝ અદા કરી અલ્લાહના શુક્ર ગુજારી સર્વે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. આપણા દેશમાંથી કોરોના વાઈરસનો ખાત્મો થઈ જાય તે માટે મસ્જિદોમાં અને ઘરે-ઘરે દુઆ કરવામાં આવી હતી. છેલ્લા દોઢ-બે મહિનાથી લોકડાઉનના કારણે આ વખતે ઈદની ખાસ ખરીદી કરવામાં મંદી જણાતી હતી. લોકો પાસે પૈસા ખૂટતા નિરસ વાતાવરણમાં ગમગીની તરીકે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. જુનાગઢથી વરિષ્ઠ પત્રકાર અબ્બાસબાપુ ચિસ્તીએ જે જગ્યા હો ત્યાંથી દુઆ કરો કે આ મહામારીનો અમારા દેશમાંથી ખાત્મો થાય. ઘરે રહો અને સલામત રહો તેવી ખાસ દુઆ કરવામાં આવી હતી.
Trending
- Poco ભારતમાં મોટી સ્ક્રીન અને લેટેસ્ટ પ્રોસેસર વાળો ફોન કર્યો લોન્ચ…
- હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચી શકાય, જાણો આયુર્વેદના અસરકારક ઉપાયો
- અમેરિકામાં ટૂંક સમયમાં H-1B વિઝા માટે લોટરી સિસ્ટમ શરૂ થશે, ભારતીયોને મળશે ફાયદો
- તમારો સીલિંગ ફેન પણ અવાજ કરે છે, આ ઘરેલું ટેકનિકનો ઉપયોગ કરો
- વડાપ્રધાન મોદીએ બિલ ગેટ્સને કહ્યું :અમારા દેશમાં બાળકનો જન્મ થાય છે, ત્યારે AI અને આઈ બંને બોલે છે
- દર શુક્રવારે માતા સંતોષીની પૂજા કરો…ધન, લગ્ન, સંતાન અને ભૌતિક સુખ પ્રાપ્ત થશે.
- જેલમાં બંધ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું હાર્ટ એટેક બાદ મોત
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું