Abtak Media Google News

અમદાવાદના નિકોલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો: ઉઘોગપતિ રાજુભાઇ મહેતા આયોજીત ભવ્ય સન્માન સમારંભમાં અનેક અગ્રણીઓની હાજરી

તાજેતરમાં રક્ષાબંધન તેમ જ પ્રજાસત્તાક દિવસે પૂ. મુકતાનંદજીબાપુ જે ભારતીય સમાજના રાષ્ટ્રિય અઘ્યક્ષ નેતા શંભુ પંચઅગ્નિ અખાડાના સભાપતિનું અમદાવાદના નિકોલ ખાતે ભવ્યાતિ ભવ્ય સન્માન સમારોહ યોજાયેલ. અમદાવાદના એક ઉઘોગપતિ રાજુભાઇ મહેતા દ્વારા રક્ષાબંધનના તહેવારના દિવસે જ નિકોલ વેદાંત ઇન્ટરનેશનલ સ્કુલના ઓડીરેટીયમમા ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવેલ પુ.બાપુન. ઉપર લખેલ બન્ને હોદેઓ ઉ૫ર સાધુ સમાજ દ્વારા નિયુકિત કરવામાં આવેલ જે તબકકે રાજુભાઇ મહેતાને એક સંતો પ્રત્યેનો ભાવ વ્યકત કરવા આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં મેંદરડાથી ભકિતસ્વામી ખાસ પધારેલ તેમજ રાજુભાઇ મહેતા તેમ જ તેમના બીઝનેશ પાર્ટનર તેવા ડો. સુરેશભાઇ પટેલ તથા અશોકભાઇ તથા વેદાંત સ્કુલના બોર્ડ કમીટી મેમ્બર તેમજ અમદાવાદ શહેરની તમામ રાજગોર બ્રાહ્મણની જ્ઞાતિ આ પ્રસંગે ખાસ ઉ૫સ્થિત રહેલ.

રાજુભાઇ મહેતા પરીવાર દ્વારા પુજય બાપુને ચાંદીની ફરસી આપવામાં આવેલ આ પ્રસંગે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સંઘના પ્રમુખ રસીકભાઇ જોશી તથા પ્રમુખ મહામંત્રી ટ્રસ્ટી તેમજ જ્ઞાતિ અગ્રણીઓ ખાસ ઉ૫સ્થિત રહેલ આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. સુરેશભાઇ પટેલ, અશોકભાઇ પટેલ તેમજ અશોકભાઇ શીલું અરવિંદભાઇ પુરોહીત, ઉપેન્દ્રભાઇ ત્રિવેદી, મુકેશભાઇ તેમજ સ્કુલ સ્ટાફ તથા રાજુભાઇ મહેતા સાથે જે બીઝનેસ ટીમ જોડાયેલી છે. તે તમામ મિત્રોએ આ કાર્યમાં જોઇ તો સાથ આપીને કાર્યને ચાર ચાંદ લગાવી દીધેલ.

આ તબકકે રાજુભાઇ મહેતાના માતા ખાસ ઉ૫સ્થિત રહેલ. અમદાવાદના જાણીતા બીલ્ડર્સ અક્ષયભાઇ ડી. મહેતા, તેમજ શૈલેષભાઇ ડી. મહેતા તેમજ તેમના માતુ ધનલક્ષ્મીબેન આ પ્રસંગે ખાસ ઉ૫સ્થિત રહેલ

આ કાર્યક્રમની અંદર વિઘાર્થીઓએ મોમેન્ટ અર્પણ કરવામાં આવેલ મહાનુભાવોને સ્મૃતિરુપે ગણેશજીની ચાંદી મૂર્તિ રાજુભાઇ મહેતા તરફથી આપવામાં આવેલ. આકષણ પૂર્ણ થયેલ બ્રહ્મસમાજ કરાવવામાં આવેલ આ તબકકે ખાસ આમંત્રણને માન આપીને ઉઘોગપતિ કુણાલભાઇ ઇન્ફ્રાસ્ટ્રકચરના ચેરમેન અરવિંદભાઇ દોમડીયા ખાસ ઉ૫સ્થિત રહેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.