Abtak Media Google News

સમસ્ત સતવારા બોડીંગ જોરાવરનગર અને બાપા સીતારામ ફ્રી ટીફીન સેવા ના સહયોગથી રાજકોટની રણછોડદાસબાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ દ્વારા ફ્રી મોતીયાનો કેમ્પ રાખવામાં આવ્યો જેમાં ૨૫૦ દર્દીએ લાભ લીધો અને ૪ર દર્દીને મેડીકલ ચેકઅપ કરી નેત્રમણી મુકવામાં આવેલ છે.

જેમાં સતવારા જ્ઞાતિના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. શંકરભાઇ દલવાડી જગદીશભાઇ મકવાણા, કાંતિભાઇ માસ્તર ઉ૫સ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત સેવક સમાજના તમામ સભ્યો તેમજ મોહનભાઇ પટેલ ખેતશીભાઇ પટેલ અને શીરીષભાઇ ઓઝા તેમજ લાભુભાઇ ડાભી શંકરભાઇ કણઝરીયા દલપતભાઇ મકવાણા અને ડાભી ધવલ ખુબ જ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.